________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦) તીર્થ રૂપ સાધુઓ છે. સાધુઓના દર્શનથી પુણ્ય થાય છે સ્થાવર તીર્થનો કાળે ફળ આપે છે. અને સાધુની સંગતિ તુરત ફળ આપે છે. મુનિરાજે કહ્યું કે-હા સાધુના દર્શનથી અપૂર્વ લાભ થાય છે. ચેતનલાલે કહ્યું કે, હેપરમકૃપાળુ મુનીન્દ્ર આપ મારા ઉપર કૃપા કરી અન્નદાનાદિક ગ્રહણ કરીને સેવકની આશા પૂર્ણ કરશે. મુનિરાજે કહ્યું કે, હાલ મારે આહારદિકની ઈચ્છા નથી, ત્યારે શેઠે કહ્યું કે, હે પરમકૃપાલે દયાભાવી મારી આશા પૂર્ણ કરે અત્ર સર્વ સાધુ સાધ્વી કે જે મારી દષ્ટિએ પડ્યાં, તેમને અન્નદાનાદિક આપીને હું અત્ર આવ્યો છું. આપ પણ મહાપુણ્યથી દેખાયા તે હવે આપને હું છોડીશ નહીં. મુનિ મહારાજ મહાજ્ઞાની હતા. તેમણે શેઠ સર્વ મનોભાવ જાણી લીધા. કંઈક વિચાર કરી, હસતે મુખે ગિરાજ મુનિએ કહ્યું કે,– ભવ્ય ! જે તારે ભૂખ્યાને ખવરાવવું હોય, તે અન્ન નજીક ખાણમાં એક ભિક્ષુકી પડી પડી બુમો પાડે છે, તેની ઈચ્છા પુર્ણ કર. ચેતનલાલ વિનયપૂર્વક વંદન કરી હર્ષથી ત્યાં ગયે, તો જેના શરીર ઉપર એક પણ વસ્ત્ર નથી, અને જેના પેટમાં મેટે ખાડે પડેલો છે; એવી કંગાલ ભિક્ષુકિીને દીઠી. શેઠે કહ્યું છે ભિક્ષુકી ! કેમ ટળવળે છે. ભિક્ષુકીએ દીનવીને કહ્યું કે,–મને બહુ ભૂખ લાગી છે, તેથી ટળવળું છે. શેઠે કહ્યું કે તારે માટે ભોજન મંગાવું ત્યારે
For Private And Personal Use Only