________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩૧ ) હુન્નર, યુદ્ધાદિ કળા શિખવાને માટે સ્ટવિગુની જરૂર છે અને આત્મધર્મની પ્રાપ્તિ માટે લેકોત્તર પંચમહાવ્રત ધારક સદુપદેશક ગુરૂની જરૂર છે. માટે એવા સદ્ ગુરૂની શ્રદ્ધા જે ભવ્ય કરે છે, તે પરમાત્મપદને પામે છે. દુનીયામાં ચિંતામણિ રત્ન કરતાં પણ અનંતગણે અમૂલ્ય છે તે મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને વિવેક દૃષ્ટિની જાગૃતિ કરવી. વિદ્યાના બે ભેદ છે. દિવા विवेक मने लोकात्तर विवेक तेभा लोकोत्तर विवेक दु
મ છે. નવતત્ત્વ તથા પદ્રવ્યનું સ્વરૂપ જાણીને, ઉપાદેય આત્મસ્વરૂપને સ્વીકાર કરે, અને જડદ્રવ્યને ત્યાગ કરે. આવી વિવેક બુદ્ધિ પ્રગટવાથી, સમકિત રત્નની પ્રાપ્તિ થાય છે. વિવેક દષ્ટિ થતાં, ભવ્યજીવ સત્યને જાણ અસત્યને પરિહરે છે. પદાર્થનું સ્વરૂપ બતાવવા વિવેક સૂર્ય સમાન છે દૂધ અને જલની પેઠે પુગલ અને આત્માને ભિન્ન કરવા હંસની ચંચુ સમાન વિવેક દષ્ટિ છે. વિવેક ચક્ષુથી અંધ મનુષ્ય સત્ય પદાર્થ સ્વરૂપ ઓળખી શકતાં નથી. વિવેક દષ્ટિહીન મનુષ્ય આત્માને પરમાત્મરૂપ જાણી શકતાં નથી. વિવેક દષ્ટિહીન પુરૂષ અસત્યને સત્ય માને છે, અને સત્યને અસત્ય માને છે. વિવેક દષ્ટિવિના આત્મારૂપ હીરે પારખી શકાતું નથી. વિવેક દષ્ટિથી આત્મા મોક્ષ માર્ગમાં ગમન કરી શકે છે. વિવેક દષ્ટિ ચિંતા
For Private And Personal Use Only