________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬) રહી કેટલુંક બોલ્યા–અને ત્યાં રહેવાને નિશ્ચય કર્યો અને સંકલ્પ કર્યો કે મારે માાિમથી પ્રસન્ન થશે ત્યારે અન્ન જલ ગ્રહણ કરીશ. તેમની આગળ એક ધ્યાનથી બેસી જાપ કરવા લાગે-એક દીવસ, બે દીવસ કરતાં કરતાં, એકવીશ દીવસ થઈ ગયા–ચેતનલાલનું શારીર પાતળું થઈ ગયું, આંખોમાં ખાડા પડયા, લોહી સુકાઈ ગયું, હાલવા ચાલવાની શક્તિ રહી નહીં–મુખથી જાપ પણ થઈ શકતો નહોતો. શેઠની પૂર્ણ ટેક શ્રદ્ધાથી સાક્ષાત્ માળમદ્ર વીરે દર્શન આપ્યાં, અને કહ્યું કે હે શેઠ, તારે જે જોઈએ તે માગ. શેઠે નમરકાર કરી કહ્યું કે, હું રચા ! આપ જે મારા ઉપર પ્રસન્ન થયા છે તે સ્પશમણિ આપ. વીરે તુરત સ્પર્શમણિ આપે. શેડની સર્વ આશાઓ ફળીભૂત થઈ ચેતનલાલ ત્યાંથી પિતાને ઘેર આવ્યા. સ્પર્શ મણિના ગે પુષ્કળ સુવર્ણ કર્યું. અધિપતિ બની ગયા. મોટા મોટા મહેલ બંધાવ્યા, અનેકરમણીય આરામ કરાવ્યા. ઘોડા ગાડી વિનાત શેડ પગલું પણ ચાલી શકતા નથી. પાણીને ઠેકાણે દૂધના પ્યાલા નેકરે આપવા લાગ્યા. ચારે ખંડમાં મોટી મોટી પેઢીઓ રથાપન કરી. શેઠનું નામ ચારે ખંડમાં ફેલાયું. શેઠના પુત્રને ઘેર પુત્ર થયા. શેઠની આટલાથીજ આશાઓ તૃપ્ત થઈ નહીં–તેમની આશા ઈન્દ્રનું ઈન્દ્રાસન લેવાની થઈ.
For Private And Personal Use Only