________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪૦ ) જાણવું. નિશ્ચયનયથી સર્વજીવ સિદ્ધસમાન છે. શિષ્ય પ્રશ્ન કરે છે કે, જે સર્વજીવ સિદ્ધ સમાન છે, તે અભવ્યજીવ પણ સિદ્ધસમાન ઠર્યા, તેતો મોક્ષે જતા નથી. તેને ઉત્તર કે, અભવ્યને કર્મ ચીકણાં છે. અને અભવ્યમાં પરાવર્ત ધર્મ નથી. તેથી સિદ્ધ થતા નથી. ભવ્યજીવમાં તો મોક્ષગમનને સ્વભાવ છે. ભવ્યજીના સર્વથા શુદ્ધ પર્યાય થઈ શકે છે, તેથી કારણ સામગ્રી પ્રાપ્ત થતાં પલટણ પામે છે. ગુણશ્રેણિ ચઢી મોક્ષ જાય છે.
હવે તથા પક્ષ કહે છે. એ છ દ્રવ્ય છે તે પિતાના દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવપણે સર છે. અને પ્રત્યેક દ્રવ્ય છે, તે પરદ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી ઉપર છે. ધર્મસ્તિકાઅને મૂલ ગુણ ચલનસહાયપણાનો છે, તે સ્વદ્રવ્ય છે. અધમસ્તિકાયને મૂલગુણ સ્થિતિસહાય પણાને છે, તે સ્વદ્રવ્ય છે. તથા આકાશારિતકાયને મૂલગુણ અવગાહપણાને છે, તે સ્વદ્રવ્ય, તથા કાલનો મૂલગુણ વર્તના લક્ષણ છે, તે સ્વદ્રવ્ય જાણવે. તથા પુદ્ગલને મૂલગુણ પૂરણુગલનપણો, તે તેને સ્વદ્રવ્ય તથા જીવદ્રવ્યનો મૂલગુણ જ્ઞાન ચેતનાદિકપણે તે સ્વદ્રવ્ય. એ છ દ્રવ્યનું દ્રવ્યપણું કહ્યું, હવે સ્વક્ષેત્ર તે દ્રવ્યનું પ્રદેશપણું જાણવું. ધર્મરિતકાય તથા અધ. મસ્તિકાયનું ક્ષેત્ર અસંખ્યાત પ્રદેશ છે. આકાશનું સ્વક્ષેત્ર અનંતપ્રદેશ છે. કાલદ્રવ્યનું સ્વક્ષેત્ર સમય છે. પુદગલ
For Private And Personal Use Only