________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫૪) સર્વ જીવોને એક વ્યાપક નિત્ય આત્મા માનવાથી, તે પ્રથમથી જ મુકત છે. કારણકે, એક પદાર્થ માનવાથી, કર્મરૂપ દ્વિતીય પદાર્થની સિદ્ધિ થઈ શકશે નહીં. અને તેથી તપ, તીર્થ, સંન્યાસ, ઉપદેશ, જ્ઞાનાભ્યાસની નિરર્થક્તા પ્રાપ્ત થાય છે. જગતમાં એક મનુષ્ય ભેગી, એક જોગી, એક રાજા, એક રંક દેખવામાં આવે છે, તેનું કારણ પુણ્ય પાપ માન્યાવિના સિદ્ધિ નથી. અને જ્યારે પુણ્ય પાપરૂપ કર્મ માનવામાં આવે છે, જવ અને અજીવ એમ બે પદા ની સિદ્ધિ કરી. તેમજ પુણ્ય પાપના વિચિત્ર ભેદોના કતા ભિન્ન ભિન્ન આત્મા દેખવામાં આવે છે, તેથી સર્વ જીવ વ્યક્તિ ભિન્ન ભિન્ન સિદ્ધ કરે છે. અને તેથી જ અનંત વ્યક્તિ પણે અનાદિકાળથી છે, તેમજ સર્વ જીવોને સાધારણ ધર્મ એક સરખે હેવાથી સત્તાની અપેક્ષાએ સાપિક્ષપણે એક કહેવાય છે. પણ તેથી અનાદિકાળ સિદ્ધ અનેક પ્રતિ શરીર ભિન્ન ભિન્ન વ્યકિતનો નિષેધ તે નથી. તેથી સમ્યક્ નયને સાપેક્ષપણે અવતાર થાય છે. આ સંબંધી વિશેષ વિવેચન કરતાં ગ્રંથ ગારવ થાય તેથી કર્યુંનથી. વિશેષ સ્વરૂપના જીજ્ઞાસુઓએ સમ્મતિ તર્ક, સ્યાદ્વાદ મંજરી, શાસ્ત્રવાર્તસમુચ્ચય, અનેકાન્તજય પતાકા વિગેરે ગ્રંથે જોવા વા સાંભળવા. સ્યાદ્વાદદર્શનમાં પદાર્થસ્વરૂપ સાપેક્ષપણે માનતાં, કૅતત્વની અને અદ્વૈતત્વની
For Private And Personal Use Only