________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪પ) ભૂતકાલ અનાદિસાત છે. અને વર્તમાનકાળ સાદિક્ષાંત છે. ભવિષ્યકાળ સાદિ અનંત છે. ભવિષ્યકાળની વર્તમાનકાળની અપેક્ષાએ સાદિ છે, પણ તેને અંત નથી. કાળનું સ્વરૂપ ઉપચારથી સર્વ જાણવું.
હવે વ્યાદિક ચતુષ્ટયમાં ચતુર્ભગી કથે છે. જીવદ્રવ્યમાં દ્રવ્યથી જ્ઞાનાદિકગુણ અનાદિ અનંત છે. સ્વક્ષેત્રથી જીવના અસંખ્યાતા પ્રદેશ છે, તે સાદિસાંત છે. વસ્તુતઃ ક્ષેત્રથી જીવના અસંખ્ય પ્રદેશ અનાદિઅનંતમે ભાંગે છે. કારણ કે આત્માના પ્રદેશની આદિ નથી. નિત્ય છે, માટે તથા આમાના અસંખ્ય પ્રદેશનો અંત નથી. અવિનાશી છે, માટે. અસંખ્યાત પ્રદેશરૂપ સ્વત્ર જીવનું છે, તે અનાદિઅનંતભાગે છે. પણ અસંખ્યાત પ્રદેશમય જીવદ્રવ્ય સંસારી દશામાં શરીરવ્યાપી હોય છે, અને જીવના પ્રદેશોનું ઉર્વર્તન હોવાથી, તે ફરે છે તેથી આકાશપ્રદેશોની સાથે તેને સંબંધ સાદિપણે વર્તે છે. બીજા આકાશપ્રદેશોની સાથે તેજ આત્મપ્રદેશોનો સંબંધ થાતાં, પ્રથમના સંબંધને અંત આવે છે, માટે આકાશ પ્રદેશની સાથે જીવન પ્રદેશેને સાદિસાંત સંબંધ જાણવો, તથા સિદ્ધજીના પ્રદેશેને આકાશપ્રદેશની સાથે સંબંધ સાદિ અનંતમે ભાંગે હોય છે. જીવને સ્વકાલ અગુરુલઘુ ગુણ અનાદિ અનંત છે તથા અરૂલઘુ ગુણને ઉપજ તથા વિણસે સાદિસાંત
For Private And Personal Use Only