________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪ ) એક અપક્ષથી નિશ્ચયજ્ઞાન માટે નિયવિવેચન
સર્વ દ્રવ્યમાં અનેક સ્વભાવ વર્તે છે. તે એકવચનથી કહી શકાય નહીં. અનેક ધર્મનો અપલાપ થાય નહીં, માટે સાપેક્ષપણે વચનવર્ગણાએ બોલવું તેને નય કહે છે. નયના મૂળ બે ભેદ છે. ૧ દ્રવ્યાકિનય, ૨ પર્યાયાર્થિક નય.
૧ ઉપદવ્યયપર્યાયને જે શાણપણે રહે છે, અને દ્રવ્યની સત્તાને મુખ્યપણે ગ્રહણ કરે છે, તેને દ્રવ્યાથિક નય કહે છે. તેના દશ ભેદ છે. ૧ સર્વ દ્રવ્ય નિત્ય
છે, તેને નિત્ય કવ્યાર્થિક કહે છે કે માઘુતાગુરાન રિપર્વ નિચ એમ નિયનું લક્ષણ જાણવું જે
અગુરુલઘુ ગુણ અને ત્રિની અપેક્ષા કર્યા વિના મૂલ ગુણને પિંડપણે ગ્રહે તેને એક વ્યાર્થિક કહે છે. જ્ઞાન નાદિક ગુણે સર્વ જીવે સત્તાથી એક સરખા છે. માટે સર્વ જીવોને એક જીવ કહે. રવદ્રવ્યાથિકને ગ્રહે તે સત્ દ્રવ્યાકિનય જાણવો. જેમ સત્ અક્ષi દ્રવ્ય (સત્ છે તેજ દ્રવ્યનું લક્ષણ છે) એકાંતે સત્ દ્રવ્યાર્થિક નયને - હવાથી, સંગ્રહ નયાભાસ કહેવાય છે. અને એમ એકાંતે સતુ દ્રવ્યાર્થિક નયનું અવલંબન કરનાર અદ્વૈતમત નીકજે છે. અદ્વૈતવાદને સિદ્ધાંત એ છે કે એક આત્મા સર્વ પ્રાણી છે. એક આત્મા પણ બહુ પ્રકારે થાય છે. કહ્યું છે કે -
For Private And Personal Use Only