________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫) આત્મપ્રભુ છે, અને આ દેખાતું શરીર તમારાથી ભિન્ન છે, એમ ભાસ્યા વિના રહેશે નહીં. શ્રી તીર્થકર, ચક્રવતિ, મુનિ વિગેરે જે અનંત સિદ્ધ થયા અને થશે, તે સર્વ આ-પ્રભુની ઉપાસના કરવાથી સમજે. સૂર્ય ઘનવાદળથી આછાદિત હોય, તો પણ દીવસ માલુમ પડે છે. તેમ આત્મા અષ્ટ કર્મથી આચ્છાદિત છે, તો પણ જ્ઞાનથી તે પ્રકાશ કરે છે. હે ભવ્ય ! રત્નચિંતામણિ, કામધેનુ, કામકુંભ કલ્પવૃક્ષથી જે સુખ અપાય નહીં, તે સુખને દાતા આત્મા પ્રભુ તમારા શરીરમાં જ્ઞાનતિથી વિદ્યમાન છતાં કયાં તમે બાહ્યપદાર્થોમાં સુખને શોધે છે ! હું ચિત્ર, વા હું અમૃત, વા હું મણિલાલ, એવા શબ્દોમાં તમે આત્માને ક્યાં શોધો છો? બાળ, યુવા, અને વૃદ્ધ એવા શરીરને કેમ આત્માની ભૂલ કરે છે? તમે તે સર્વથી ન્યારા અંતરાત્મા પ્રભુ છે, એમ દ્રઢ વિશ્વાસ ધારણ કરે, અને સત્તાપેક્ષાએ તમે પરમાત્મા છે. માટે આત્માને સિદ્ધસમાન ભા, સિદ્ધવરૂપ અતરાત્માથી ન્યારૂ નથી એમ અભેદભાવનાથી આ ત્મા પરમાત્માનો ભેદ દૂર કરે. તમારી અનતિશક્તિ છે. તમે આત્મા છે, પણ કા ગેરું દેખાતું શરીર તમે નથી, એમ અન્તરમાં ભાવ્યા કરે. સર્વ શરીર, મન, વાણીમાં થતા અહં ત્વઅધ્યાસને ભૂલી જાઓ. અન્તરમાં રમણતા કરે. આવી યાનશકિત સ્થિરપણે પ્રતિદિન વૃદ્ધિ કરતા રહો.
For Private And Personal Use Only