________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩૦ ) છે, તેમાં કઈ જાતને દોષ પ્રાપ્ત થતું નથી, માટે મધ્યમ પરિણામી આત્મા માનતાં કેઈજાતને દોષ આવતો નથી. અદ્રષ્ટથી સાનુકુળ પ્રતિકુળ અનેક વસ્તુઓને સંબંધ શુ. ભાશુભ અદ્રષ્ટ કરે છે. વળી કહ્યું કે–આત્મા સર્વત્રવ્યાપક આકાશની પેઠે છે, એ પણ વચન અનુભવમાં આવતું નથી. દેહમાંજ સુખ-દુઃખના જ્ઞાતા તરીકે આત્માનો અનુભવ થાય છે. પણ દેહવિના દ્વીપાંતરમાં પોતાનો આત્મા છે. એવો અનુભવ થતો નથી. જ્ઞાનગુણ જ્યાં હોય છે, ત્યાં ગુણી આત્મા હોય છે. જ્ઞાનગુણ શરીરના સંબંધ હોય છે, માટે જ્ઞાનગુણનો આધાર આત્મા પણ શરીરમાં જ રહે છે. જે શરીરવિના આત્મા અન્યત્ર રહેતો હોય તે હીપાંતરનું પણ હાલ જ્ઞાન થવું જોઈએ. જે કહેશે કે બાહ્યજ્ઞાન તો ઈદ્રિારા તથા મનોદ્વારા થાય છે. અને દ્વીપાંતરમાં ઈદ્રિય તથા મનના અભાવે બાહ્યજ્ઞાન થતું નથી. ત્યારે અમે કહીએ છીએ કે બાહ્યજ્ઞાન ભલે ના થાય, પણ ઢીપાંતરમાં આત્માના સદ્દભાવથી અંતરજ્ઞાન થવું જેઈએ, પણ તે અનુભવમાં આવતું નથી. તમે કહેશો કે, દ્વીપાંતરના આત્માને અન્તરજ્ઞાન છે, પણ આ શરીરમાં રહેલા આત્માને ઈન્દ્રિયકમાવરણ છે, તેથી અન્તરજ્ઞાનને અનુભવ થતું નથી. આવું તમારું કહેવું એગ્ય નથી. કારણ કે દ્વિપાંતરના આત્માને કર્યાવરણ નથી, અને આ શ
For Private And Personal Use Only