________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧૭ ) ગાળવી ગ્ય નથી મનમાં આત્મપ્રભુનું સ્મરણ કર્યા કરે. અનંતગુણાધાર શ્રી આત્મપ્રભુની જેવા ભાવથી સેવન કરશે તેવાં ફળ પામશે. સેવા કરનાર તથા ફળ આપનાર, તથા ફળ ભેગવનાર પણ એક આત્મા છે. અષ્ટસિદ્ધિ અને નવનિધિ પણ આત્મામાં છે, તેને પેટાકરનાર પણ આત્મા છે, ને તેને ભોગવનાર પણ આત્મા છે. શ્રી જીતેન્દ્રભગવાને અસંખ્ય ગદ્વારાથી આત્મપ્રભુની ઉપાસના કરવાની કહી છે. તે સર્વથી પણ ઉપાદેય પ્રાપ્ય આત્મપ્રભુ છે. જે જે વિચારો તમે કરે છે, તે તે આત્મામાંથી થાય છે, માટે તમારી પાસેજ આત્મા છે. ગતમારવામીને અઠ્ઠાવીશ લબ્ધિઓ ઉત્પન્ન થઈ હતી તે સર્વ લધિ પણ આત્માની જ જાણવી. શ્રી વિષ્ણુકુમારને આકાશગામિની શક્તિ પ્રાપ્ત થઈ હતી, તે પણ આત્માની શક્તિ જાણવી. અનંતધર્મધન તમારી પાસે છે, છતાં ક્યાં બાહ્યકાશી વિગેરે જઈધર્મ છે! તમારું ધન આત્મામાં રહ્યું છે. જેમ કે ઈ મનુષ્યના ઘરમાં ઘણું ધન દાટેલું છે, અને તેના તાંબાપત્રના લેખો પણ ગૃહમાં મોજુદ છે, છતાં તે અજ્ઞાનથી પિતાને ભિખારી સમજીને અન્યની આગળ ભીખ માગે છે, પણ જ્યારે કોઈ ભેદ, પેલા મનુષ્યને સમજાવી તેના ઘરમાં દાટેલું ધન કાઢી બતાવે. ત્યારે તેને કેટલો આનંદ થાય, તથા પિતાને ધનવાન માને, તેમ આત્મારૂપ ઘરની અંદર જ્ઞાનદર્શન, ચારિત્ર,
For Private And Personal Use Only