________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૮ ) છે. કથંચિત્ ભિન્નપણું સ્વીકારતાં, સુવર્ણને હાર એ વ્યવહાર થાય છે. અને અન્ય પર્યાયપણે સુવર્ણ પરિણમે છે. કથંચિત્ અભિનપણું સ્વીકારતાં સુવર્ણના પર્યાય અને સુવર્ણને અભેદ દેખાય છે, આત્મા પણ કથંચિત્ દેહથી ભિન્ન છે, તેથી આત્માને દેહ એવો વ્યવહાર થાય છે, તથા અન્યગતિમાં અન્ય શરીર આમે ધારણ કરી શકે છે. તથા ધારણ કરેલા શરીરમાંથી આત્મા જુદે થઈને અન્યશરીર ધારણ કરે છે, કથંચિત્ આત્મા દેહથી અભિન્ન છે. કાશ્મણ તેજસ, અને દારીક શરીરમાં પરિણમેલ આત્મા, સર્વ શરીરમાં રહે છે અને તેનાથી અભિન્નપણે વર્તે છે. જે એકાંતે શરીરથી ભિન્ન આત્મા વર્ત, તે શરીરથી થતાં પાપ પુણ્ય આત્માને લાગી શકે નહીં, અને કર્મની સાથે આત્માને સંબંધ થાય નહીં. કથંચિત્ દેહની સાથે અભિન્ન આત્મસંબંધ માનતાં, આત્માને ગસંબંધથી પુણ્ય પાપ લાગી શકે છે. આન માનતાં કર્મની સાથે આત્માને સંબધ થાય છે. અભિન્ન માનતાં શરીર દ્વારા સુખ દુઃખને ભેક્તા આત્મા સિદ્ધ થઈ શકે છે. કાશ્મણ શરીર અને તે જસશરીરની સાથે તે, આત્મા જ્યાં સુધી મુક્તિપદ પામતે નથી, ત્યાં સુધી અભિન્નપણે વર્તે છે, તોપણ કાર્પણ અને તૈજસશરીરની સાથે પણ આત્માને કથંચિત્ ભિન્ન સંબંધ છે. ભિન્નપણું કહેવાનું કારણ એ છે કે કાશ્મણ અને તેજસ
For Private And Personal Use Only