________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૭) સ્વીકારતાં આત્મા નિત્ય, અને કથંચિત્ પર્યાયાપેક્ષયા અનિત્ય સ્વીકારતાં, દેહમાં પરિણમે છે, અને પર્યાયથી અનિત્ય તથા, દ્રવ્યથી નિત્ય માનતાં, સદાકાળ આત્માની અસ્તિતા સિદ્ધ કરી, તેથી ક્ષણીકવાદ દોષને પરિહાર થાય છે. જેમ સુવર્ણ એ દ્રવ્ય છે, અને હાર એ પર્યાય છે. સુવર્ણ દ્રવ્યરૂપ નિત્ય છે. અને પાયથી અનિત્ય છે. સુવર્ણના હારનું કુંડલા બનાવ્યું, તથા કંડલનું કટીભૂષણ બનાવ્યું એમ અનેક આકાર ભાગ્યા, અને અનેક બનાવ્યા પણ સર્વ આકારમાં સુવર્ણદ્રવ્યની તે અસ્તિતા અને ધ્રુવતા વિદ્યમાન છે. સુવર્ણના નાના મેટા વિચિત્રપર્યાય ( આકાર) ના નાશથી અને અન્યપર્યાય (આકાર) ના ઉત્પાતથી, કંઈ સુવર્ણદ્રવ્યનો નાશ થતો નથી. તેમ આત્મા ચોરાશીલાખ નિમાં અનેક શરીર ધારણ કરે છે. ચાર ગતિમાં અનેક શરીર ધારણ કરે છે, અને મૂકે છે અને બીજાં શરીર ધારણ કરે છે,
પણ આત્મદ્રવ્યપણું સદાકાળ એક સરખું ધ્રુવ વિદ્યમાનપણું વર્તે છે. તેમજ આત્માને શુદ્વપર્યય સાદિ અનંત ભાંગે થતાં પણ આત્મદ્રવ્યપણું ધ્રુવપણે વિદ્યમાન છે. ત્રણે કાલમાં આત્મદ્રવ્યપણું ધ્રુવપણે વર્તે છે, અને સુવર્ણના પર્યાયની પેઠે આત્માના અનેક પર્યાયે ચારગતિમાં અશુદ્ધ અને મોક્ષમાં શુદ્ધપણે ઉત્પન્ન થાય છે, તથા નષ્ટ થાય છે. હારમાં રહેલું સુવર્ણહારથી સ્યાત્ ભિન્ન છે, અને અભિન્ન
For Private And Personal Use Only