________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪). સમયમાં ઉત્પન્ન થએલા આત્માને હિંસાદિકની સાથે સંબંધ નથી. હિંસાને હિંસકની સાથે સંબંધવિના પણ જે ફળ ભેતૃત્વ માનશે, તે હિંસા અને દયામાં ભેદ રહે નહીં. વસ્ત્રની ગડીમાં જેમ નીચે કસ્તુરી ધરવાથી, તેની ગંધ ઉત્તરોત્તર ગડીમાં આવે છે, તેવી રીતે પ્રથમના આત્માની વાસનાનો સંક્રમ બીજા આત્મામાં માનતાં પણ દુષણ આવે છે, તે બતાવે છે. માતાએ જે પદાર્થને અનુભવ કરી, વાસના ધારણ કરી છે. તે વાસનાને સંક્રમ ઉદરમાં રહેલા બાળકમાં થવાથી, બાળકને પણ માતાએ અનુભવેલા પદાર્થનું મરણ થવું જોઈએ. પણ તે પ્રમાણે મરણ થતું નથી માટે વાસનાને સંક્રમ પણ સિદ્ધ થતો નથી. અન્ય પ્રકારે પણ હિંસાદિકની સાથે હેતુને સંબંધ થતો નથી, તે બતાવે છે. જેમ દંડવડે કેએ દેવદત્તને માર્યો, ત્યારે હિંસા થઈ. તે હિંસા દંડથી ભિન્ન છે કે અભિન્ન છે ? જે ભિન્ન કહેશો, તે વિધ્યાત્રિ હિમાદ્રિની પેઠે હિંસાદિકની સાથે દંડાદિકનો સંબંધ ઘટશે નહીં. જે હિંસા દંડથી અભિન્ન માનશે તો, દંડરૂપ હિંસા થઈ પણ ન્યારી હિંસા થઈ નહીં. વળી દ્રષણ આપે છે કે જે સમયમાં ચિત્ર દેવદત્તને મારવાને પરિણામ કર્યો તે તે પરિણામ કરવા વાળ આત્મા તે બીજા સમયમાં નષ્ટ થયે. અને દંડગ્રહણ કરનાર તથા મારનાર આત્મા તે અન્ય ઠર્યા. તે કારણવિના
For Private And Personal Use Only