________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૨૯૦ )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. સાહુ પદ એ શબ્દાલંખન છે, સાહ‘શબ્દદ્વારા આત્મસ્વરૂપમાં વૃત્તિ રમાડવાથી, વૃત્તિ નિવિષયી ખની જાય છે, અને પશ્ચાત્ ઉદાસીન ભાવ પ્રગટવાથી, સંસારની પ્રવૃત્તિમાં સ્વાદ પડતો નથી. અને સંસારની પ્રવૃત્તિમાં રાગદ્વેષથી પરિણમન થતું નથી. અને અન્તરથી માત્માના ગુણપાચમાં રમણતા કરવાથી, અશે અંશે પરમાત્મસ્વરૂપ પ્રગટતુ જાય છે, અને તેથી પ્રાન્તે સંપૂર્ણ પરમાત્માની સ્થિતિમય આત્મા બની રહે છે. હે ભવ્યેા ! જગમાં પરમપ્રશસ્ય એવું ધ્યાનનું મહાત્મ્ય સમજીને, કાયા અને માયાની વાસના ભુલીને ધ્યાનમાં પ્રવૃત્તિ કરવી ઉચિત છે. કાયામાં ઉત્પન્ન થતા અટુ ભાવના વિલય કરવા ચેાગ્ય છે. તથા માયાની વાસના પણ ભુલવી જોઇએ. જગતમાં માયાના જોરથી જગત્પ્રાણિયા સ‘સારરૂપ નગરીના ચારાશી લાખ ચોટાની અંદર, નાટકીયાની પેઠે અનેક પ્રકારના અવતારરૂપ વેષ લેઇ, જન્મમરણરૂપ નાચ નાચે છે. માયાની વાસનાનું ભાન ભૂલનાર મહાચેાગી જાણવા. માયારૂપ મહા પ્રચંડ રાક્ષસી સર્વનું ભક્ષણ કરી જાય છે. જ્ઞાનિચે માયાની જાત પુછી, કે તુ કાણુ છે શા માટે તું જગના જીવને ફસાવે છે ? તું જગમાં શું કાર્ય કરે છે ? તેના ઉત્તરમાં જ્ઞાનીને ગુરૂ શબ્દથી સાધી માચા કહે છે કે
--
For Private And Personal Use Only