________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૯૮ )
मनोयोगविशेषस्य, ध्वंसो मरणमात्मनः, हिंसा तच्चेन्न तत्त्वस्य, सिद्धेरर्थसमाजतः
આત્માનો મનની સાથે સંબંધ છે, તે સંબંધનો નાશ થો તેને મરણ કહે છે. તે જ મરણરૂપ હિંસ જાણવી. આવી હિંસા આત્માને અવ્યય માનવાથી પણ ઘટે છે. વાદીનું આ પ્રમાણે કહેવું અયુક્ત છે, એમ સિદ્ધાંતી ઉત્તરમાં દર્શાવે છે. આત્માનો મનની સાથે જે સંગ, તે સંગને áસરૂપ જે મરણ છે, તેતો અર્થાત્ સિદ્ધ છે. સ્મૃતિઉદ્બોધક વિષયાદિકના અભાવથી, આત્મમન સંગ સ્વતઃ નષ્ટ થાય છે, અને સ્મૃતિ ઉધકના સર્ભાવે, આભમન ઉત્પન્ન થાય છે. તેથી આત્મમન સંગ નાશ કરનાર અન્ય પ્રાણી સિદ્ધ થતો નથી. માટે હિંસકની સિદ્ધિ થતી નથી, અને હિંસક સિદ્ધ થયા વિના દયાદિકની સિદ્ધિ થતી નથી. આ ઉપરથી સિદ્ધ થયું કે આત્મમન સંગ નાશને હિંસા માનવી યુક્તિયુકત નથી. વળી આત્માને નિત્ય એકાંત માનનારના મતમાં આત્માની સાથે શરીરને સંબંધ પણ ઘટતો નથી, તે લેક દ્વારા દર્શાવે છે.
शरीरेणापि संबंधो, नित्यत्वेऽस्य न संभवी विभुत्वेन च संसारः, काल्पतः स्यादसंशयम्.
३ ।
For Private And Personal Use Only