________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૦ ) નહીં, તેમજ મળમૂત્રની શંકા છતાં, પ્રાણાયામની ક્રિયા કરવી નહીં. વસ્થ ચિત્તવાળા થઈ, તમે સારા આસન ઉપર બેસો, અને સિધ્ધાસન અથવા પદ્માસન વાળો. સિદ્ધા ટટાર બેસે. મë વા ૐ કાર વા ઈષ્ટગુરૂ દેવનું સ્મરણ પ્રારંભમાં કરે. પાત્ એમ સંકલ્પ કરે કે-હું શરીરની શુદ્ધિ માટે પ્રાણાયામ કરું છું. પશ્ચાત્ પ્રાણાયામની ક્રિયા શરૂ કરવી. પ્રથમ ડાભી એટલે ઈવાથી ધીરે ધીરે ઉદરમાં પ્રાણવાયુ ભરે. અને પાત્ તેને રિથર કરે. પશ્ચાત્ જમણી નાસીકા એટલે પિંગળાથી પ્રાણવાયુને હળવે હળવે બહાર કાઢ. બે મીનીટનો કુંભક થાય, એટલે પ્રાણાયામની સિદ્ધિ થઈ ગણાશે, સવાર, સંધ્યા ને મધ્યાન્હ એમ ત્રણ કાલે એંશી એંશી પ્રાણાયામ કરે. આરંભમાં પ્રાણાયામ કેટલાક દિવસ કર્યબાદ, સુષણાનું ઉત્થાન થશે. અને સુષણના ઉત્થાનથી, આત્મધ્યાન કરવાની યોગ્યતા પ્રાપ્ત થાય છે. બે માસ પર્યત આમ પ્રાણાયામની ક્રિયા કરશે, એટલે તમારા મનની સ્થિરતામાં વૃદ્ધિ થશે. તથા શરીરમાં રહેલો પ્રાણવાયુ બિલકુલ શુદ્ધ થઈ જશે. પ્રાણાયામની ક્રિયા કરનારને સૂચના કે, તેણે દૂધ વિગેરે પદાર્થનું ભક્ષણ કરવું. કઠીન અને કઠળ તથા પચે નહીં એવા પદાર્થનો ત્યાગ કર જોઈએ. દારૂ અને માંસનું ભક્ષણ કરનારને તે પ્રાણાયામની સિદ્ધિ થતી નથી. પ્રાણાયામની ક્રિયા કરનારાએ નિયમિત ભજન
For Private And Personal Use Only