________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૨) ઉપર બેસી નાસીકાથી પ્રાણવાયુ લે, બંધ કરે. યથાશક્તિ ઉદરમાં તથા છાતીમાં વાયુ રેક. પશ્ચાત્ ધીરેધીરે પ્રાણવાયુને નાસીકાદ્વારા નીકળવા દે. આમ સવાર, મધ્યાન્હ, અને સંધ્યા તથા મધ્ય રાત્રી એમ એકેક વખતે વીશ વીશ અને તેથી ઉપર ત્રીશ ત્રીશ પ્રાણાયામ કરવા. ઘી તથા દૂધ વિશેષ વાપરવું. બે માસ પર્યત આ પ્રમાણે સતતકિયા કરવાથી, કેવળકુંભની સામાન્યતઃ સિદ્ધિ થઈ ગણાય છે. આ કિયામાં તે પ્રસંગે શરીરાદિકને અનુસરી, જે જે ફેરફાર કરવા પડે તે ગુરૂ કરાવી શકે છે. લેમ તથા. વિલેમ એમ બે પ્રકારના પ્રાણાયામ કહ્યા છે, તથા શ્રી હેમચંદ્ર વિરચિત યોગશાસ્ત્રમાં સાત પ્રકારના પ્રાણાયામ કહ્યા છે યથા—
ઋા. प्राणायामो गतिच्छेदः, श्वासप्रश्वासयोर्मत; रेचकः पूरकश्चैव, कुंभकश्चेति स त्रिधा. પ્રત્યાણારર્તતઃ શાંત, ઉત્તર ચાલતથા; एभिर्भदै श्चतुर्भिश्च, सप्तधा कीर्त्यते परैः
રેચક, પુરક, કુંભક, પ્રત્યાહાર, શાંત, ઉત્તર, તથા અધર એ સાત પ્રકારના પ્રાણાયામ છે. રેચક પુરક વિગેરેનું ફળ દર્શાવે છે.
For Private And Personal Use Only