________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૭) આત્મા તારૂં ધ્યાન પામણિ સદશ છે. જેમ સહસ્ત્ર મણ લેહને પણ પાર્વ મણિને સ્પર્શ થાય, તો લડ સુવર્ણતાને ભરે છે, તેમ હે આત્મન ! તારું ધ્યાન કરતાં, આ મા તે પરમાત્મા બને છે. કહ્યું છે કે- 1 g+1 આત્મા એજ પરમાત્મા છે, આત્મા ધ્યાને પરમબ્રહ્મ, વા સિદ્ધત્વ પ્રાપ્ત કરી, પશ્ચાત્ કદાપિ કાળે નામ રૂપને ધારણ કરી શકતો નથી. એવી હે આત્મન્ ! તારી સ્થિતિ છે. હે આત્મા ! ચારિત્રરૂપ ગાડીમાં બેસીને, પિતાના ઘરે ચાલજે. મન સારથિ સમાન છે. ઇન્દ્રિય અવ સમાન છે. માટે મન અને ઈન્દ્રિય ઉપર પિતાને અંકુશ રાખજે. મન અને ઇન્દ્રિઓના વશમાં થઈ, તેને છુટી મૂકી તે ભવકાનનમાં રખડાવશે. માટે અસંખ્ય પ્રદેશરૂપ નગર તરફ તું ચાલજે. વળી તે આત્મન ! યાદ રાખ કે અસંખ્ય પ્રદેશ રૂપ નગર તરફ જતા માર્ગમાં કોધ, માન, માયા, ભરૂપ ચિરનો વાસ આવે છે. માટે તેથી સાવધાન રહેજે. વળી હે ચેતન ! અસંખ્ય પ્રદેશરૂપ પિતાના નગરપ્રતિ જતાં, મામાં તૃષ્ણારૂપ મટી ખાઈ આવે છે, તેનું તળીયું જણાતું નથી. તેમાં પડી જવાય નહીં, તેને ઉપયોગ રાખજે. વળી માર્ગમાં ચાલતાં શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શરૂપ વિષય વિષનાં વૃક્ષો આવે છે, તેની છાયામાં વાસ કરીશ નહીં. અને જે વાસ કર્યો, તે
For Private And Personal Use Only