________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫૪) મદશામાં આકાશ અને પાતાળ જેટલો ફેર છે. શ્રાવક બાહસંસારની ઉપાધિમાં નિશદિન વર્તે છે. એટલે શ્રાવકને ગૃહસ્થાવાસમાં ખાવા પીવાના આરંભની ઉપાધિ સદાકાળી લાગી રહેલી છે. પૃથ્વીકાયના આરંભ કરી, અસંખ્ય પૃથ્વીકાયના જીવોને નાશ કરતો વર્તે છે. પીવાને માટે પાણું, સ્નાન કરવાને માટે પાણી, વસ્ત્ર જોવા માટે પાણી, કુંટુબને પીવા માટે પાણી, એમ દરરોજ અપકાયના અસંખ્ય જીવોનો નાશ કરે છે. શ્રાવક જલ ગળીને વાપરે છે, તેથી ત્રસજીવોની રક્ષા થાય છે, પણ તેથી અપકાયના જીવોની દયા રક્ષા થઈ શકતી નથી. વળી ગૃહસ્થાવાસમાં શ્રાવક અગ્નિકાયના તથા વાયુકાયના જીવોને નાશ ઉપાધિગે કરે છે. તથા વનસ્પતિના જીવન નાશ પણ શ્રાવક કરે છે. વનસ્પતિના બે ભેદ છે. ૧ એક સાધારણ અને બીજી પ્રત્યેક. તેમાં એક શરીરમાં અનંત જીવ હોય, તેને સાધારણ કહે છે. જેમ કે, આદુ, મૂળા, ગાજરીયાં, શકરીયાં, બટાટા, સૂરણ, રતાળુ, પિંડાળુ, વિગેરે, કંદમૂળ વિગેરે સાધારણ વનસ્પતિમાં અનંત જીવ હોવાથી શ્રી વીરપ્રભુએ અભક્ષ્ય ગણે છે. જેને એક શરીરમાં એક જીવ હોય, તેને પ્રત્યેક વનસ્પતિ કહે છે. આંબા, લીંબડા, રાયણ, વિગેરે, પ્રત્યેક વનસ્પતિના પણ ઘણું ભેદ છે, તેની શ્રાવક હિંસા કરે છે. એમ સ્થલ પંચ સ્થાવર જી.
For Private And Personal Use Only