________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરપતિની પદવી પણું પુણ્યદ્વારા સંપ્રાપ્ત થાય છે, પણ જગમાં સશુરૂની પ્રાપ્તિ થવી દુર્લભ છે. મેક્ષમાર્ગારાધક શ્રી સશુરૂની જે જે અશે હદયમાં ભકિત છે, તે તે અંશે મનુષ્ય ધર્માધિકારી થઈ શકે છે. શ્રી શિષ્યની ઉપર ઉપરની હલદરના રંગ જેવી વિનયભકિતથી શ્રી ગુરૂ સંતુષ્ટ થતા નથી. કિંતુ તેઓ ચેલમછઠના જેવી વિનયભકિતથી શિષ્યની યેગ્યતા સમજી સંતુષ્ટ થઈ તેને યથાકેમ તપદેશથી, તત્ત્વમાર્ગમાં પ્રેરે છે. વિનય ભભક્તિ દ્વારા ભવ્યશિએ સદ્ ગુરૂની ઉપાસના કરી, મનની વિક૯૫સંક૯૫ શ્રેણિને દૂર કરી, આત્મસાધક બનવું. બાવનાચંદનસમ શિતલ વચનથી, શ્રી સશુરૂ શિષ્યનાં કષાયથી સંતપ્ત હદયને શાંત કરે છે. શ્રી સ
ગુરૂ વર્યના મુખદર્શનથી તથા તેમની તસ્વામૃતવાણીથી, શિબેનાં પાપી હદય ગંગાજલની પેઠે નિર્મલ થાય છે. કેટલાક શ્રદ્ધાનહીન અન્ન મનુષ્યના મનમાં, શ્રી સદ્ ગુરૂને મનુષ્યસ્વરૂપ દેખી, તથા પોતાની પેઠે ખાતા પીતા દેખી શ્રદ્ધા થતી નથી, તેમના મનમાં એવા વિચારો આવે છે કે શ્રી સદ્ ગુરૂને આપણા જેવું શરીર થાય છે, પણ તેઓ અજ્ઞતાથી શ્રી સદ્ ગુરૂની આત્મોન્નતિ સમજી શકતા નથી. અંધકારથી પ્રકાશદર્શન થતું નથી, તેમ અજ્ઞાનીથી જ્ઞાનિસદ્ ગુરૂનું આત્યંતર સ્વરૂપ સમજી શકતું નથી.
For Private And Personal Use Only