________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાથે બનતાં નથી, તેમ એક તરફ બાહ્યમુખેચ્છા અને એકતરફ શુદ્ધ પરિણતિની પ્રાપ્તિ, એ બે સાથે રહી શકે નહીં, તેમ બે બનીપણ શકે નહીં. નિષ્કામથી જે ભળે શુદ્ધ પરિણતિ પ્રાપ્તિ અર્થે પુરૂષાર્થ કરે છે, તેઓ તેની પ્રાપ્તિ અવશ્ય કરી શકે છે. શુદ્ધપરિણતિની પ્રાપ્તિ થવી મહા દુર્લભ છે, એમ સમજી તમારા પગ ઢીલા કરી નાંખશે નહીં. ઉદ્યમ અને ઉત્સાહથી અસાધ્યની પણ સિદ્ધિ થાય છે. ઘણા ગ્રન્થમાં ટીટોડી અને ટીટેડાના ઉદ્યમ અને ઉત્સાહની કથા છે, તે શું તમે ભૂલી જાઓ છે? ટીંપે ટીંપે સરોવર ભરાય, આ શું હિતશિક્ષા ભૂલી જાઓ છે ? ભવ્ય ઉદ્યમથી સર્વ કાર્ય સિદ્ધ થાય છે. માટે આત્મજ્ઞાન ધ્યાનાદિક અર્થ ઉદ્યમ કરો. તમારા આત્માના જ્ઞાનવિના તમે સ્વદયાના પ્રતિપાલક થઈ શકતા નથી. શ્રી ઉપાધ્યાય પણ કહે
जेह राखे परमाणने, दया तास व्यवहारे; निजदया विण कहो परदया, होए कवण प्रकारे. शुद्ध० लोकविण जेम नगर मेदिनी, जेम जीव विण काया फांक तेम ज्ञानविण परदया, जिसी नटतणी माया. शुद्ध०
જે કીડી મંકડા આદિ પરના બાહ્યપ્રાણનું રક્ષણ કરવું, તે વ્યવહાર દયા છે, અને પરદયા કહેવાય છે. gયા પણ દ્રવ્યથી અને ભાવથી છે. તેમાં બાહ્ય પ્રાણની
For Private And Personal Use Only