________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૭) ને ત્યાગ કરવા ઉત્સાહથી પ્રયત્ન કરે છે. પ્રત્યેક મનુષ્યમાં પ્રાય અપ અધિક દોષોનો અભાવ હોય છે. પિતાના દોષ જોતાં, ગુણની વૃદ્ધિ થાય છે, અને પરના દોષે જોતાં ગુણનો નાશ થાય છે. તમારું મન સ્ફટિક રત્ન સમાન છે, તેના ઉપર પરદોષગ્રહણરૂપ રૂશનાઈ કેમ રેડે છે ? તમો પોતે જ પરદોષગ્રહણરૂપ બેડીથી તમારા આત્માને સંસારમાં બાંધી રાખે છે. જે દીવસમાં તમે એ કોઈના દે તરફ દષ્ટિ નહીં દીધી હોય, તે દીવસને ધન્ય છે. અનાદિકાળથી તમને દેષ જોવાની ટેવ પડી છે અને તેથી તમે તમારી ઉન્નતિમાં પિતાના હાથે પથરા નાખ્યા છે, તેથી તમારી આત્મશકિતને પ્રકાશ થતો નથી. બીજાના દોષ જેવાને તમને કોઈએ હુકમ આપે છે ! અને બીજાના દો જોતાં, પ્રથમ તમારા હદયમાં દેષને ભાસ થાય છે, તેથી તમને શમભાવની પ્રાપ્તિ થવાની નથી. અને શમભાવની પ્રાપ્તિ વિને મુક્તિ નથી. તમે સાધુ અગર સાધ્વી છે અને તેની આગળ તમે નિંદા કરે છે, અને અન્ય દોષોથી તમારી જીભ મલીન કરે છે, તમારું મન મલીન કરે છે, તેથી શું તમને શ્રવણ કરનારા પુરૂષો પવિત્ર ધારશે કે કેમ તેને વિચાર કરે. પ્રાયઃ ઘણું કરીને તમે શ્રેષ, સ્પર્ધા, અને અન્યની મોટાઈથી અન્યના દોષો જેવાનું અને કથનનું સાહસ કરે છે, તેથી તમે ભારે દોષી
For Private And Personal Use Only