________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩ર) ગ્રહણ કરી શકાતી નથી, વાયુ તે ત્વચા ઇન્દ્રિયથી ગ્રહણ કરી શકાય છે, માટે તે મૂર્તિ છે. કેઈ ફાગુમાવાશબ્દને આકાશને ગુણ માને છે, તેના મત પ્રમાણે શબ્દ અમૂર્ત કરે છે, પણ સમજવું જોઈએ કે-શબ્દ શ્રવણેન્દ્રિયથી ગ્રહણ કરી શકાય છે, માટે તે મૂર્ત છે.
સ્યાદ્વાદરત્નાવતારીકા, સમ્મતિતર્ક વિગેરેમાં શબ્દ પિગલિક મૂર્ત છે, એમ યુકિતપ્રમાણથી સિદ્ધ કર્યું છે. માટે શબ્દને મૂર્ત માનવો. અને જે નથી માનતા, તેને પૂર્વોત મિથ્યાત્વ લાગે છે, ઉષ્ણતા અને શીતતાનાં પુદ્ગલે, તથા પ્રકાશ તથા અંધકારનાં પગલે મૂર્ત છે. અને તેને કઈ અમૂર્ત માને તેને પૂર્વોકત મિથ્યાત્વદોષ લાગે છે. અંધકાર પદાર્થ છે, એમ સમ્મતિતર્ક વિગેરેમાં સારી રીતે પ્રમાણથી સિદ્ધ કર્યું છે. અંધકાર સક્રિય છે માટે તે મૂર્તિ છે, આ
સ્થાને તેનું વર્ણન કરતાં ગ્રંથગારવ થઈ જાય માટે વિશેષ વિવેચન કર્યું નથી. અને ઉત્તપન્ના અમૂર્ત પદાર્થમાં મૂર્તપણાની બુદ્ધિ, ધર્માસ્તિકાય, અધર્મસ્તિકાય, આકાશાસ્તિ. કાય, અને જીવ તથા કાલ આ પંચ દ્રવ્ય અમૂર્ત છે. તેમાં મૂર્તપણાની બુદ્ધિથી મિથ્યાત્વ લાગે છે. ઠાણાંગસૂત્રમાં આ દશ પ્રકારનું મિથ્યાત્વ કહ્યું છે. તે જ્યા સુધી ટળ્યું નથી
ત્યાં સુધી આત્માની અજ્ઞાનાવસ્થા જાણવી. દશ પ્રકારનું મિથ્યાત્વ ટળવાથી, સમ્યજ્ઞાન પ્રગટે છે. અને સમગ્ર જ્ઞાન
For Private And Personal Use Only