________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર૩૮) वहिरवहे नहि वृत्तियो लक्ष्ये तस विश्राम अलखदशा तब जागशे परमातम पद नाम. १०३ लगी न ताळी आत्मनी ग्रयो न सद्गुरु सङ्ग तपनपकिरिया फोक सहु भाखे भगवइ अंग. १०४ ब्रह्यं न ध्यान विवेकशी चेतन तत्त्वस्वरूप; तब तक भवभ्रमणा रहे मिटे न भवमय धूप. १०५
સમ્યગ અનુભવજ્ઞાનની પ્રાપ્તિ થતાં, રાગદ્વેષમય અહંવૃત્તિનો નાશ થાય છે. સૂર્યની આગળ જેમ અંધકાર ટકી શકતું નથી, જેમ સિંહની આગળ હસ્તિવૃન્દ ટકી શકતું નથી, તેમ સમ્યગ અનુભવ જ્ઞાનની આગળ રાગ દ્વેષમય અહંવૃત્તિ ટકી શકતી નથી. સમ્યઅનુભવ જ્ઞાનનું અપૂર્વ મહા
મ્ય, એની અપૂર્વ શકિત છે. સમ્યગ અનુભવજ્ઞાન અપાર મહોદધિ છે. સમ્યગ અનુભવજ્ઞાનથી, તત્વને નિર્ણય હસ્તામલકવત્ છે. સમ્યગ અનુભવ જ્ઞાન છે, તે કેવળ જ્ઞાનને લઘુભ્રાતા છે. અનુભવમાં ખરૂ સુખ શાંતિ તથા સ્થિરતા સમાઈ છે. અનુભવજ્ઞાનનું વર્ણન જી હાથી કરવું એ સાહસ છે. અનુભવજ્ઞાન બીજાને કહી શકાતું નથી. પણ એવા અનુભવી જ્ઞાનિની પાસે રહેતાં તેમના વચનેથી કાંક બેધ પ્રાપ્ત થઈ શકે છે. સમ્યગ્રજ્ઞાનિયેની પાસે રહેતાં, અને તેમના વચનામૃતથી, આ
For Private And Personal Use Only