________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(२४२ )
दुहा सर्षप मुरगिरि जेवडो, श्राद्ध यतिमा फेर; करो न निन्दा साधुनी, करतां भव अन्धेर. १०७ गणियाछे परमेष्टिमां, पञ्चमपद मुनिराय; परमेश्वर मुनिरायने, नमतां शिवसुख थाय. १०८ लक्ष्य प्रही शुद्धात्मनुं, साधे तत्त्वोपाय; नमो नमो मुनिवर प्रभु, जन्मजरादुःख जाय. १०९ श्रावक बाह्योपाधिमां, वर्तछे निशदिन विरतीछे तस देशथी, प्रायः परमां लीन. ११० धर्मधुरंधर साधु छे, सं.ति पञ्चमकाल; नमो नमो मुनिवरमदा, होवे मङ्गलमाल. १११
કયાં સરસવને દાણ અને ક્યાં મેરૂ પર્વત? એટલે શ્રાવક અને સાધુની હદમાં અંતર છે. શ્રાવક જ્યારે ગ્રહસ્થાવાસમાં સ્ત્રી પુત્રાદિકમાં બંધાય છે, ત્યારે મુનિરાજે સ્ત્રીપુત્રાદિકને ત્યાગ કર્યો છે. શ્રાવક પંચમહાવ્રતથી દૂર છે, અને મુનિરાજ પંચમહાવ્રત પાળે છે. શ્રાવક ઘરમાં બંધા છે, ત્યારે મુનિરાજ ગ્રહને ત્યાગ કરી અનગાર થયા છે. શ્રાવક વ્યાપાર વિગેરેની ઉપાધિમાં પડી રાગદ્વેષથી ચિત્તઅસ્થિરતા પ્રાપ્ત કરે છે, અને મુનિરાજ વ્યાપાર વિશે
For Private And Personal Use Only