________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૯) આદિ નિમિત્તકારણને અવલંખ્યા વિના, કોઈની સિદ્ધિ થઈ નથી. વળી વિચારો કે કેઈને ઘીને ખાય છે, તે ગાય અગર ભેંસ રાખે, અને ચારો ખવરાવે, દેહનકિયા કરે, દૂધ કાઢે; પાછું તેનું દહીં થાય, તેને વલોવે, તેનું માખણ થાય. પશ્ચાત માખણુ તાવવાથી ઘી થાય, તેમ પરમાત્મદશાની પ્રાપ્તિ માટે, આ મા ગુરૂને સમાગમ કરે, જીનવાણું સાંભળી તત્વની શ્રદ્ધા કરે, દેવની શ્રદ્ધા કરે, વ્યવહાર તથા નિશ્ચયધર્મ સમજી, ધર્મની આરાધના કરે. પરસ્વભાવને ત્યાગ કરે, આત્મસ્વભાવમાં રમણતા કરે. શ્રાવક વા સાધુવ્રતોને યથાશક્તિ અંગીકાર કરે. એમ પ્રયત્ન કરતાં, આત્મા સ્વસ્વરૂપાભિમુખ થતા જાય અને અંતે કર્મને ક્ષય કરે. આ ઉપરથી સિદ્ધ થાય છે કે વ્યવહારનયકથિત ધર્મનુષ્ઠાન પ્રવૃત્તિ વિના, નિશ્ચયનયથી આત્મકલ્યાણ થતું નથી. આત્મા આત્મા એમ પિકારે, પણ પિતાના આત્માની શુદ્ધ પ્રવૃત્તિ કરે નહી, તો કંઈ હિત નથી. કેવલીભગવાન પણ વ્યવહારની માન્યતા રાખે છે. કેવલીભગવાન દેશના દે છે, તે પણ વ્યવહાર છે. અને દેશના શ્રવણકરવી તે પણ વ્યવહાર છે. વ્યવહારના પણ પ્રસંગનુસારતઃ ઘણું ભેદ પડે છે. તીર્થકરભગવાન દીક્ષા અંગીકાર કરે છે, તે પણ વ્યવહાર છે. કેવલજ્ઞાન પામ્યા પક્ષાત્ સમવસરણમાં બેસે છે, તે પણ વ્યવહાર છે. સમવસરણમાંથી દેવછદામાં બીરાજે છે તે
For Private And Personal Use Only