________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૩ ) સમુદ્રની આગળ ખાબોચીયું શા હીસાબમાં ! હંસની આગળ કામ શા હીસાબમાં ! અરાવત હસ્તિની આગળ રાસભ શા હીસાબમાં! ઈદ્રની આગળ ભૂત શા હીસાબમાં ! ગરૂડની ગતિ આગળ કુકડાની ગતિ શા હીસાબમાં ! સૂર્યતેજ આગળ ખજુઆનું તેજ શા હીસાબમાં ! કલપક્ષની આગળ આકડો શા હીસાબમાં ! તેવી રીતે આત્મારૂપ સાહેબની આગળ બાહ્યના દેખાતા સાહેબ કંઈ હીસાબમાં નથી. અંતરાત્મપ્રભુની સેવાથી મનુષ્ય અને પ્રકારની લબ્ધિઓ પ્રાપ્ત કરે છે. શ્રી ગતમસ્વામિને અવિશ લધિ ઉત્પન્ન થઈ હતી, તે પણ અંતરાત્મ પ્રભુની સેવાથી થઈ હતી. સ્વામીને આકાશગામિની વિદ્યા પ્રાપ્ત થઈ હતી, તેમાં પણ તેજ કારણ હતું. શ્રી યશવિજયજી ઉપાધ્યાયે શત ગ્રંથ આદિની રચના કરી, તેમાં પણ અંતરાત્મપ્રભુની સેવાથી જ જ્ઞાનશક્તિ પ્રાપ્ત થએલી હતી. શ્રી કલિકાલસર્વજ્ઞ હેમચંદ્ર આચાર્ય મહાન ગ્રંથોની રચના કરી છે, તે પણ અંતરાત્મપ્રભુ સેવામાહાસ્યથીજ સમજજે. શ્રી આષાઢાભૂતિ આચાર્ય નાટક કરતાં કરતાં કેવળજ્ઞાન પામ્યા, તે પણ અંતરાત્મપ્રભુની ધ્યાનરૂપ સેવાથી જ સમજવું. શ્રી ઈલાચીકુમાર વાસે ચઢી, અંતરાત્મપ્રભુની ભાવનારૂપસેવાથી કેવળજ્ઞાન પામ્યા. શ્રી મરૂદેવી માતા હસ્તિના ઉપર બેઠા છતાં, અંતરામપ્રભુની ભાવ
For Private And Personal Use Only