________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦) વિસ્તારથી વર્ણવ્યા છે, તેવા સંચમમાં ધર્મ છે. સંયમથી કેમને ક્ષય થાય છે, અને આત્મગુણોનો આવિર્ભાવ થાય છે. માટે ધર્મ તેજ ઉત્કૃષ્ટમંગલ છે. પૂર્વેક્ત ધર્મમાં મિઆવીને અધર્મબુદ્ધિ રહે છે. ખાવું, પીવું, મોજમઝાહુ મારવી, એટલું જ કર્તવ્ય સમજે છે. વા અજ્ઞાનીજીવ પિતાના આત્માને પંચભૂતથી ભિન્ન માનતા નથી. તેથી તે નારિતકવાદમાં પ્રવેશી સદાને માટે દુર્ગતિમાર્ગ કબુલ કરે છે. કેટલાક એમ સમજે છે કે સર્વ પાપ કરીને એક દીવસ પ્રભુ પાસે પશ્ચાતાપ કરીશું, એટલે સર્વ પાપ ક્ષય થઈ જશે. એમ માનનારાની પણ ભૂલ છે. કારણ કે જેજે કર્મ કરવામાં આવે છે તેનું ફળ અવય જોગવવું પડે છે. જાણી જોઈને પાપ કરી પકડાતાપ કરવાથી કંઈ પાપથી છુટી શકાતું નથી. કેટલાક એમ કહે છે કે આપણને સારી અગર બોટી બુદ્ધિ આપનાર ઇશ્વર છે, તેથી આપણે સારાં કર્મ અગર નઠારાં કર્મ કરીએ તેનું ફળ ઈશ્વરને છે, આપણને નથી, આમ જે અજ્ઞાની લોકો કહે છે, તેની પણ ભૂલ છે. કારણ કે ઈશ્વર કેઈને સારી અગર બેટી બુદ્ધિ આપતો નથી. ઈશ્વરને કોઈને સારી અગર ખોટી બુદ્ધિ આપવાનું પ્રયોજન નથી. ઈશ્વર કેઈને સારી ખોટી બુદ્ધિ આપે, એમ માનીએ તો એકના ઉપર રાગ અને બીજાના ઉપર શ્રેષ અને તેથી ઈશ્વરમાં રાગદ્વેષ પક્ષપાત રૂપ દેષ લાગવાથી ઈશ્વરપણું કહેવાય નહીં.
For Private And Personal Use Only