________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨) કેઈ એમ કહે છે કે–જેવાં આપણે કર્મ કર્યો છે, તે તે કર્માનુસાર ઈશ્વર સારી અગર બેટી બુદ્ધિ ન્યાયપૂર્વક આપે છે. આમ જે કહે છે, તેને અમો પુછીએ છીએ કે આત્માઓમાં સ્વાભાવિક બુદ્ધિ રહી છે, કે તે ઈશ્વરની બુદ્ધિથીજ કર્મ કર્યા કરે છે? પ્રથમ પક્ષ ગ્રહી કહેશે કે જી
માં સ્વાભાવિક બુદ્ધિ રહી છે તે સિદ્ધ ઠર્યું કે જીવોમાંજ સ્વાભાવિક સારી અગર ખોટી બુદ્ધિ રહી છે તેમાં કંઈ ઈશ્વરને વચ્ચમાં લાવવાનું કારણ રહ્યું નથી. બીજો પક્ષ ગ્રહણ કરી કહેશો કે જીવો ઈશ્વરની બુદ્ધિથી જ કર્મ કર્યા કરે છે, તે અહો તમારા માનેલા ઈશ્વરની લીલાને પાર રહે નહીં. વ્યભિચાર, જુઠ, હિંસાબુદ્ધિ આપનાર ઈશ્વર તેમજ લડાઈ, વૈર, વિશ્વાસઘાતબુદ્ધિ આપનાર ઈશ્વર ઠર્યા. સારી અગર ખોટી બુદ્ધિ ઈશ્વરની, તો તેનું ફળ પણ ઈશ્વરને થવું જેઈએ. મૂર્ણ મનુષ્ય પણ સારી અને ખોટી બુદ્ધિ આપનારને ઈશ્વર માની શકે નહિ. ઈશ્વર કમાનુસારતઃ વા કર્મ વિના પણ કોઈને સારી અગર ખોટી બુદ્ધિ આપી શકતું નથી. ઇશ્વરનું સ્વરૂપ યથાર્થ જાણવામાં આવે તો ઈશ્વર ઉપર આવા દોષ લગાડવાને પ્રસંગ આવે નહીં. ઈશ્વરનું સ્વરૂપ, આત્માનું સ્વરૂપ, કર્મસ્વરૂપ, જગસ્વરૂપ બરાબર સમજવામાં નહીં આવે ત્યાં સુધી અજ્ઞાનપણું જાણવું. જે ભવ્ય આત્મા અને કર્મનું સ્વરૂપ સમજતો નથી, ધર્મનું સ્વરૂપ
For Private And Personal Use Only