________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩) નારા અનંત સંસારની વૃદ્ધિ કરે છે. પ્રશ્ન-હાલના કાળમાં સાધુપણું છે, એવું કયા સૂત્રમાં
પ્રતિપાદન કર્યું છે ! ઉત્તર- હે ભદ્રકભવ્ય સાભળ. શ્રીકલ્પપૂત્રમાં કહ્યું છે કે
માથા. जो भणइ नथ्थि धम्मो, न य सामइय न चेव वयाई सो समण संघवझो, कायवो समण संघेण
જે એમ કહે કે ધર્મ નથી; સામાયક નથી; પંચમહાવ્રત હાલ નથી, એમ કહેનાર ઉસૂત્રભાષકને શ્રમણસંઘ બહિષ્કૃત કરે. શ્રીભગવતીસૂત્રમાં કહ્યું છે કે “ હે ગતમ! મારૂ શાસન એકવીશ હજાર વર્ષ સુધી રહેશે, અને ત્યાં સુધી સાધુ, સાધ્વી, શ્રાવક, તથા શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ બન્યો રહેશે, બેહજાર અને ચાર યુગ પ્રધાનમાંથી હજી ઘણાખરા તે થવાના છે, તે સર્વ સાધુ વેષે જાણવા. મહાનિશીથ, નિશીથ, આચારાંગ, બૃહતક૫, ઉત્તરાધ્યયન; ભગ વતી; દશવૈકાલિક વિગેરે ઘણું સૂત્રમાં સાધુ તથા સાધ્વીના આચારેનું વર્ણન તથા તેમનાથીજ ધર્મની આરાધના વર્ણન વેલી છે. સાધુ અને સાધ્વી વિના શ્રાવક તથા શ્રાવકાપણું કેઈપણ સૂત્રમાં કહ્યું નથી. અધુના સાતમા ગુણઠાણ સુધીની સ્થિતિ છે, અને મુનિપણું તે છઠ્ઠા ગુણઠાણે કહ્યું છે,
For Private And Personal Use Only