________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ ) આનું વિવેચન અમોએ વિશેષતઃ કર્યું છે તે સમાધિશતક વિવેચનમાંથી જોઈ લેવું. બાહ્યપ્રવૃત્તિમાં મન જવાથી, બહિરાત્મભાવનું સેવન થાય છે, અમુક દેવી છે, અમુકનું આમ કરવું જોઈએ. અમુકનું હું આમ કરીશ. ઇત્યાદિ વિચારો પર વસ્તુ સંબંધી રાગદ્વેષથી કરતાં, આત્મસન્મુખતાથી ભ્રષ્ટ થવાય છે. પારકી પંચાતમાં પ્રવેશ કરતાં, આત્મા સ્વરૂપ ઉપગથી શુન્ય બને છે. જગની વિચિત્રતા છે. સર્વ જીવ કમાધીન છે, તેથી રાવે જીવ એક સરખા નથી, માટે કોઈ સારાં કૃત્ય કરે, અને કોઈ ખોટાં કૃત્ય કરે, તે પણ તેને દેખી માધ્યસ્થભાવે વર્તવું અને પિતાના આત્માને હિતશિક્ષાથી સમજાવ. હે આત્મન ! તું પિતાના ચિતરવરૂપને વિચાર કરી, પરમાં ઉત્પન્ન થતી અહંવૃત્તિથી દૂર રહેવા પ્રયત્ન કરે. જગના જીવનમાં એક સરખાં કર્મ નથી. એક સરખા વિચાર નથી, એક સરખા આચાર નથી, એક સરખી ભાષા નથી, એક સરખા ઉચ્ચાર નથી. એક સરખા રાગ નથી, એક સરખા ષ નથી, એક સરખાં રૂપ નથી, એક સરખાં શરીર નથી, એક સરખાં મન નથી, એક સરખાં વચન નથી, એક સરખાં દુઃખ નથી, એક સરખી જાતિ નથી, એક સરખી જ્ઞાતિ નથી, એક સરખા કે, લેભ, માન, માયા નથી, એક સરખાં સુખ નથી, એક સરખે વિભવ નથી, એક સરખી સત્તા નથી,
For Private And Personal Use Only