________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૩) લી આપે. સંસારમાં અનેક પુરૂને રવાવ પારકા દોષ દેખવા જેવામાં આવે છે, તેવા પર દોષ દઈઓના ઉપર પણ સમભાવ ધારણ કરવો. અને પર દોષ દાદાઓનાં દુષણો જોવાની ટેવ પણ કદી રાખવી નહીં. આપણાં દૂષણે અન્ય જોવા પ્રયત્ન કરે છે, ત્યારે તેમના દૂષણો જોવાનું મન પણ આપણું થઈ જાય છે. અને તેથી મનોવૃત્તિ ખરાબ થઈ જાય છે. આપણે તો એમ સમજવું કે અન્ય પુરૂષે પોતાની ખરાબ ટેવથી ભલે દૂષણો જુવે, પણ મારે તે છતાં, વા અછતાં, પણ અન્યનાં દૂષણો શા માટે જેવાં જોઈએ; અન્ય દૂષણો જેવાથી, હું પોતે પર સવભાવમાં રમી કર્મ બાંધું છું. તેથી હું દોષી બનું છું. વળી અન્યનાં દૂષણ જેવાથી, અને તેમની નિંદા કરવાથી, અમાંથી કંઈ દૂષણે જતાં રહેતાં નથી. પારકા દોષ દેખવા કરતાં, પોતાના દોષ જોશે માલુમ પડશે કે મારું કેટલું આત્મવિરૂદ્ધ આચરણ છે ! પો. તાનું શુદ્ધ રૂપ મૂકી મન કયાં કયાં ભટકે છે, તે તો જરા વિચારે. તમારું મન પિતાના વરૂપને મૂકી, પુલભાવમાં જાય છે, તે જ તમારે માટે દોષ છે. તો સમય સમયે સાત વા આડ કર્મને ગ્રહણ કરે છે, તે તમારે શું સામાન્ય દોષ છે? અલબત તે મોટામાં મોટો દોષ છે, તમો રાગ અને દ્વેષ કરે છે એ શું તમારામાં માટે દેષ નથી? અલબત મોટે દોષ છે તમારૂ ચિત્ત જડ પદાર્થમાં સુખ માને છે, એ શું
For Private And Personal Use Only