________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૪) જ્યાંસુધી કોઈપણ પદાર્થ પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય છે, ત્યાં સુધી મુક્તાત્મા કહેવાતા નથી. ઈચ્છા તે અધુરાને હોય છે. શું તમોએ મુક્તાત્મામાં કપેલી ઈચ્છા જડ પદાર્થ સંબંધી છે કે ચૈતન્ય પદાર્થ સંબંધી છે ? પ્રથમ પક્ષ ગ્રહ કહેશે કે મુક્તાત્માને જડ પદાર્થ સંબંધી ઈરછા છે, તે જડપદાર્થમાં જે સુખ માને છે, તે બહિરા
મા કહેવાય; મુતાત્મા કહેવાય નહી. જડમાં સુખની ઈરછા વાળો અજ્ઞાની કહેવાય, સુખ તો આત્માનો ગુણ છે, જડને ગુણ નથી. બીજો પક્ષ ગ્રહશેતો પુછવાનું કે, ચૈતન્ય સ્વરૂપ આત્માની પરિપૂર્ણતાએ મુક્તાત્માએ પ્રાપ્તિ કરી છે, તે હવે કાર્ય સિદ્ધિ કર્યા બાદ ઈચ્છાની નિત્તિ થવી જોઈએ. જેમ કે મનુષ્યને જલ પીવાની ઈચ્છા થઈ છે, અને
જ્યારે જલ મળ્યું અને પીધું, ત્યારે જલપાનેચ્છાની શાંતિ થાય છે, તે પ્રમાણે જીવાત્માને પણ અનંત સત્ય સુખ પ્રાપ્ત કરવાની ઇરછા હતી. જ્ઞાન કિયાથી જીવાત્મા પાસે મુકતાત્મા થઈ, અનંત સત્ય સુખ પાયે, તે ઈચ્છાને નાશ થવો જોઈએ. કારણ કે, સુખ પ્રાપ્તિ રૂપ કાર્યનું કારણ સુખેચ્છા છે, તે કાર્ય પૂર્ણ થયા બાદ રહે નહી. પરીપૂર્ણ બ્રહ્મસ્વરૂપ પ્રાપ્ત થયાને કોઈ સુખની ન્યુનતા નથી કે જેથી સુખેચ્છા પણ હોય. એ પ્રમાણે ઈચ્છાનો નિષેધ મુતાત્માને જાણ. ત્રીજો પક્ષ પણ મુક્તાત્માને ઘટતું નથી. મુક્તા
For Private And Personal Use Only