________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫) માને દેહનો સંબંધ છે, તેથી કોઈ જાતને વિરોધ - વતો નથી. આ ઠેકાણે દેહદેવળ ગ્રહ્યું છે, તેતો ફકત મનુષ્ય શરીર આશ્રી છે. તે સાદિસાંત ભાગે છે. દેહ દેવળમાં રહેલ આમા પિતાની દેવત્વ શકિતના અજ્ઞાનને લીધે, અનંત શકિતમાન છતાં, પણ પિતાને શકિત રહીત માને છે. વળી પિતાને દેહની પેઠે વિનશ્વર માને છે. દેહના ધર્માનો આત્મામાં આરોપ કરે છે, દેહની વૃદ્ધિથી પિોતાને વૃદ્ધ અને દેહના ક્ષીણ થવાથી પિતાને ક્ષીણ માને છે. આવી રીતે પરના ધર્મ પોતાનામાં કલ્પી, પિતાનું સત્ય સ્વરૂપ વિસરી ગયે છે. અહો ! આર્યની વાત છે કે દેહદેવળ ક્ષણભંગુર છે, તેથી પિતાને સુખ નથી, છતાં સુખ માની ભલ કરે છે. ક્ષણભંગુર દેહ દેવળમાં ઉંઘવાથી ચારે ગતિમાં વિચિત્ર દુઃખના સ્થાનભત આત્મા થયે. દેહ દેવાનો નાશ અણધાર્યા થાય છે, અને અન્ય દેહમાં રહેવું પડે છે. અનેક પ્રકારનાં છેદન, ભેદન, તાડન અને તર્જનનાં દુઃખો દેહવડે ભોગવવા પડે છે. તેવા દેહમાં વાસ કરતાં, જરા માત્ર પણ સુખ મળવાનું નથી. વળી દેહમાં સદાકાળ અશુચિ રહ્યા કરે છે. જે દેહમાં કસ્તુરી નાંખીએ છીએ તે પણ દેહમાં વિદારૂપ બની જાય છે. નાકમાંથી લીટ વહ્યા કરે છે, પેટમાં કરમીયા મળ, વિષ્ટા, મત્ર, વિગેરે ભર્યું છે. ચક્ષુમાંથી પીયા નીકળ્યા કરે છે,
For Private And Personal Use Only