________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૫) રસને, પ્રાણેન્દ્રિય પ્રાણને, ચક્ષુરિંદ્રિય રૂપને, એન્દ્રિય શબ્દને, અને મનરૂપી પદાર્થને જાણી શકે છે. આત્મા અરૂપી છે, તેથી તે અતીન્દ્રિય છે, અને અતીન્દ્રિય આત્મસ્વરૂપ અનુભવજ્ઞાન તથા કેવળજ્ઞાન વિના લક્ષમાં આવી શકે નહિ, માટે આત્મા અલખ કહેવાય છે. આત્માને જન્મ જરા મરણ નથી; કારણ કે નિશ્ચયનયથી આત્મા અનાદિકાળથી છે. અસંખ્ય પ્રદેશરૂપ પિતાનું સ્વરૂપ કદી ઉત્પન્ન થયું નથી અને થનાર નથી. વ્યવહારદષ્ટિથી કર્મવેગે શરીરાદિ ધારણ કરે છે, તેની અપેક્ષાએ જન્મ, જરા, મરણ ધારણ કર્તા કહેવાય છે. જન્મ, જરા, અને મરણરૂપ અશુદ્ધ પર્યાય તે આત્માના શુદ્ધપર્યાયથી ભિન્ન છે. શુદ્ધપર્યાયરૂપ ધર્મ ઉપાસ્ય છે, અને ઉપાસક આમા છે. અશુદ્ધપJય ત્યાજ્ય છે, અને તેને ત્યાગ કરનાર શુદ્ધપર્યાય રમણ કર્ન આત્મા કહેવાય છે. ગતિપર્યાય, દેહપાયાદિને ત્યાગ કરવાથી, આત્મા પરમાત્મરૂપે પ્રકાશે છે. આત્મા નિરંજન કહેવાય છે. શુદ્ધ નિશ્ચયનયથી જોતાં આત્મા કર્મરૂપ અંજનથી રહિત છે, અને વ્યવહારથી પરભાવમાં રમણ કરે છે, ત્યાં સુધી કર્મરૂપ અંજનવાળે કહેવાય છે. વસ્તુતઃ જોતાં કર્મરૂપ અંજન આત્માને ધર્મ નથી. અને જે પિતાનું સ્વરૂપ નથી, તેમાં રમવું તે અજ્ઞાનીનું લક્ષણ છે. જે જે જ્ઞાની મહાત્માઓ થઈ ગયા, તે આત્મજ્ઞાન ધ્યાનમાં રમતા
For Private And Personal Use Only