________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪) નથી. ચોથાગુણઠાણાની પ્રાપ્તિ બીજના ચંદ્રમા સમાન કહેલી છે. મિથ્યાત્વ જ્યાંસુધી છે, ત્યાં મતિ અને શ્રુત પણ અજ્ઞાનરૂપ જાણવું. હવે પ્રસંગે જ્ઞાનના ભેદ કહે છે. આભિનિબધિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, અને પાંચમું કેવલજ્ઞાન. ત્યાં પ્રથમ મતિજ્ઞાનના અઠ્ઠાવીસ ભેદ છે. તેમાં અવગ્રહ, ઈહા, અપાય, અને ધારણુ એ ચાર ભેદ છે. મન અને ચક્ષુવિના બાકીની ચાર ઈદ્રિવડે વ્યંજનાવગ્રહના ચાર ભેદ થાય છે. મનને ચક્ષુ અપ્રાપ્યકારી હોવાથી, તેમને વ્યંજનાવગ્રહ થઈ શકતો નથી. અર્થને પરિછેદ કરનાર અથવગ્રહને ઇ ઈ દિવડે છે પ્રકારને જાણવો. અને તે પ્રમાણે હા, અપાય, અને ધારણના ભેદ મેળવતાં વીશ ભેદ થયા. તેમાં વ્યંજનાવગ્રહના ચાર ભેદો મેળવતાં અઠ્ઠાવીશ ભેદ થયા. એ અટ્ટવીશ ભેદને બહુ બહુવિધ, ક્ષિપ્ર, અનિશ્ચિત, નિશ્ચિત, અને ધ્રુવ, એ છ ભેદ તથા એના પ્રતિપક્ષી છે ભેદ મળી, બાર પ્રકારે ગણતાં, ત્રણસે છત્રીસ ભેદ થાય છે. જુદી જાદી જાતના અનેક શબ્દને જુદા જુદા ઓળખવા તે બહુ છે; તે દરેકના પાછા સિનગ્ધ મધુરાદિક ભેદ જાણવા તે બહવિધ છે. તે ઝટ પિતાનારૂપે ઓળખવા તે અચિર છે, લિંગ વગરનું જાણવું તે અનિશ્ચિત છે; સંશયવિના જાણવું, તે નિશ્ચિત છે, કઈવેળા નહીં પણ અત્યંત જાણવું તે ધ્રુવ છે;
For Private And Personal Use Only