________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૧ ). વસ્તુને પોતાની માનું, જ્યાં રાગ, ત્યાં દ્વેષ થયા કરે છે. વળી રાગ અને દ્વેષથી આ જગત્ વિષમ દેખાય છે. આ જગમાં અનેક રાજાઓ થઈ ગયા, ચકવતિ થઈ ગયા, પણ કેઈએ જગના મેહથી સત્યસુખ પ્રાપ્ત કર્યું નહીં. સ્વાત્મજ્ઞાનવિના વિષ્ટાના કીડાના કરતાં ભૂંડી મારી અવસ્થા થઈ. મેં બાહ્ય હિથી દેખાતા પદાર્થોજ સાચા માની લીધા. શ્રી સશુરૂ શરણ ઉપકારષ્ટિથી કર્યું નહીં. વમમાં દેખાતા પદાર્થો જેવા આ દશ્ય પદાર્થમાં અહંભાવકપના ફેગટ છે; વધ્યાને સ્વમાની અંદર દેખાએલા પુત્રમાં અહંભાવ જેમ નકામો છે, તેમ આ દેખાતા પુગલસ્કંધરૂપ પદાર્થમાં અહંભાવકપના વ્યર્થ છે. અગ્નિને સ્વભાવ તે જલને નથી, અને જલને શીતત્વસ્વભાવ તે અગ્નિને નથી, તેમ આ ત્માને ધર્મ તે જડમાં નથી, અને જડને ધર્મ તે આત્મામાં નથી. ઝાંઝવાના જળથી જેમ તૃષાની નિવૃત્તિ થતી નથી, તેમ તૃષ્ણાજલથી આત્માની શાંતિ થતી નથી. ફેરખુંદડી ફરતાં જેમ વૃક્ષાદિક ફરતાં દેખાય છે, તેમ બ્રાંતિથી પુત્રાદિક પોતાના ભાસે છે-જેમ બ્રાંતિથી બે ચંદ્ર આકાશમાં લાગે છે, તેમ દેહમાં પણ બ્રાંતિથી આત્મબુદ્ધિ થાય છે. જેમ નાનાં બાળક લાકડાની ઢબુડીને શ્રી કલપી, હરખાય છે, તેમ આત્માએ પણ અજ્ઞાનથી સ્ત્રી વિગેરેને પોતાનાં કપી, હર્ષવિષાદનું સેવન કર્યું. હવે હું આત્માને જ્ઞાનધ્યાનથી પુષ્ટ
For Private And Personal Use Only