________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૬) રતામાં પ્રતિષ્ઠા સમજે છે. અજ્ઞાની કીર્તિને માટે રાત્રી દિવસ મનમાં અનેક પ્રકારની ઝંખના કરે છે, અને જે કીતિને કોઈપણ પ્રકારે નાશ થઈ ગયે, તે મરણ પામે છે, ત્યારે જ્ઞાની કીર્તિ અને અપકીર્તિ નામ કર્મનાં પુગલોથી થતી દુનીયામાં કીર્તિ અને અપકીર્તિમાં જરામાત્ર સુખ સમજતો નથી, અને તેથી કોઈ કીતિ કરે વા અપકીતિ કરે, તે પણ જરા માત્ર ખેદાતુર ન થતાં, સમભાવથી આનંદમાં મગ્ન રહે છે, અજ્ઞાની સ્ત્રી ધનને પિતાના માની તેના દાસ જે બની જઈ પિતાને ભાગ્યવંત માને છે. ત્યારે જ્ઞાની સ્ત્રી ધનમાં આત્મત્વ જરા માત્ર દેખાતું નથી, તેથી તે ધનાદિક હોય વા ન હોય તે પણ સમભાવી થઈ, જ્ઞાનાનંદ અમૃતને આસ્વાદી થાય છે. અજ્ઞાની બાહ્ય મહત્તામાં મહાસુખ સમજી, તેની અત્યંત વાંછા કરે છે. અને બાહ્યસત્તાથી મહત્ત્વ પામેલા રાજા ગૃહસ્થને પુનઃ પુનઃ નમન સલામ કરે છે, ત્યારે આત્મજ્ઞાની બાહ્યસત્તા મહત્તાને દેહમેલ સમાન ગણી અંતર્ અનુભવી જ્ઞાનિની મહત્તાને પ્રમાણભૂત ગણી તેમને નમસ્કાર કરે છે, વંદન કરે છે, પૂજન કરે છે, અને બાહ્યમહત્તાને કુટેલા ઢોલ સમાન લેખે છે. અજ્ઞાની વાડી, ગાડી, લા, તાડીમાંજ
જ્યારે સુખને સેવધિ ક૯પી લે છે, ત્યારે રાની વાડી ગાડી લાડીને માટીનાં પૂતળાં કલ્પી લે છે, તેથી તેમાં કંઈ પણ
For Private And Personal Use Only