________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૯) પુદ્ગલ દ્રવ્ય રૂપી અને અચેતન છે, તેના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ પર્યાય છે. પરમાણુરૂપ પુદ્ગલદ્રવ્ય અનંતા છે, અને તે પુદ્ગલપરમાણુઓ લોકાકાશવ્યાપક છે; પગલપરિણામી આત્મા વ્યવહારમાં વર્તે છે, અનાદિકાલથી અનંત છે કર્મ સાથે પરિણમ્યા છે, આ સંબંધી વિશેષ વર્ણન પૂર્વે કર્યું છે, તેથી સામાન્ય શબ્દાર્થ માત્રનું અત્ર વર્ણન કર્યું છે.
કુહાरागेद्वषे परिणमी, अशुद्धवृत्ति थाय; कर्माष्टक ग्रहतो भाव, भवभवमां भटकाय. ॥ ६१ ।। शक्ति विचारे सिद्ध सम, जग जीवो सहु जोय; कर्माच्छादक प्राणिया, व्यक्तपणे नवि होय. ॥६२ ।
રાગઢ પરિણમેલી અશુદ્રવૃત્તિ કહેવાય છે, અને તે અશુદ્ધવૃત્તિથી અષ્ટકર્મને ગ્રહણ કરતો જીવ સંસારમાં ૫રિભ્રમણ કરે છે. અજ્ઞાનથી કપેલાં કુટુંબાદિકમાં જીવ મમતાથી બંધાઈ રાગદ્વેષ કરે છે. રાગદ્વેષોગે જીવ રજુ વિના પણ બંધાય છે, કાદવવિના ખરડાયે છે. જીવ રાગદ્વેષે કરી સંસારમાં આડોઅવળે અથડાય છે. આત્મા, જ્ઞાનથી આત્મા વિચારે છે કે-“અરે ! મારી સ્વરૂપમાં સ્થિતિ રહી નથી, અજ્ઞાનથી મેહ પામેલ છવ વૃથા જન્મે છે,
For Private And Personal Use Only