________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૮) શરીર ધારણ કરી, કેટલીક કર્મ વર્ગણાઓને ગ્રહણ કરે છે, અને કેટલીક કર્મ વર્ગણાઓને છેડે છે. શરીરમાં રહેલે આત્મા પોતાની પાસે રહેલી કર્મ વર્ગણાઓને ગ્રહણ કરે છે. દરેક વર્ગણાઓના પરમાણુઓમાં સમયે સમયે વર્ણ, રસ અને ગંધને ઉત્પાદવ્યય થયા કરે છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની વર્ગણાઓમાં ષ ગુણ હાનિવૃતિ પરિણમી રહી છે. આ જીવે અનંતી કર્મ વર્ગણાઓને ગ્રહણ કરી. રાગ અને દ્વેષના ગે આત્માએ કર્મ વર્ગણાઓનું ગ્રહણ કર્યું, પણ એમાં તત્ત્વથી વિચારીજતાં જડભૂત કર્મ વર્ગશુઓમાં આત્માને કાંઈ ગ્રાહ્યપણું નથી. વર્ગણ જડ છે અને આત્મા જ્ઞાનવાન છે. આત્માને આત્મત્વ જાતિ છે અને પુગળની પુગળત્વ જાતિ છે, આત્મા અરૂપી છે અને વર્ગણાઓ પી છે, આત્મા અકિય છે, અને વર્ગણાઓ સક્રિય છે, આભાઓ અવિનાશી છે, અને વર્ગણાઓ વિનાશ ધર્મવાળી છે. આત્મા સ્વસ્વરુપે પરિણામી છે, અને તેમાં અનંત સુખ રહ્યું છે. પુગળમાં સુખ ગુણ નથી. આત્મા લોકાલોકને પિતાના જ્ઞાનમાં વિષયીભૂત કરે છે અને પિતાના સ્વરૂપને પણ જ્ઞાનમાં આયરુપે વિષયીભૂત કરે છે. તેથી આત્મા સ્વપર પ્રકાશક કહેવાય છે. સ્વ પર પ્રકાશક ગુણ અજીવ પદાર્થોમાં થયે નથી, અને થશે પણ નહિ. સુખ ગુણ જાણવાની શક્તિ તથા ભેગવવાની શકિત આ
For Private And Personal Use Only