________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ ) અહંવૃત્તિ જ બીજરૂપ છે. રણમાં અજ્ઞાની છવ પિતાને મહા દ્ધા તરીકે માને છે, તે પણ અહંવૃત્તિની ચેષ્ટા છે. જેમ કે સ્ત્રીના શરીરમાં વ્યંતરી પેઠી હોય, અને પછી તે સ્ત્રી રૂદન કરે, મારવા ઉઠે, ગાળો દે, અનેક પ્રકા૨નું જુઠું બેલે, ઘડીમાં રૂએ, ઘડીમાં કેધ કરે, ઘડીમાં હસાહસ કરી મૂકે, ઘડીમાં ઉડાઉડ કરી મૂકે, તેમ અહંવૃત્તિરૂપ ડાકિની પુરૂષ યા સ્ત્રીના શરીરમાં પ્રવેશ કરી, અનેક પ્રકારની યુદ્ધની ચેષ્ટાઓ કરે છે, અને સહસશ: જીવોને ઘાત કરી દે છે, તેમ વળી અહંવૃત્તિના પ્રયા છો. ક્ષણમાં કોધી બની જાય છે, અને તેથી મહાક ઉપાર્જન કરે છે. અહંવૃત્તિરૂપ યંતરીથી પ્રેરાયલા જીવોની સંગતમાં આવનારા મનુષ્યોને અહંવૃત્તિ વળગે છે. અહંવૃત્તિ રૂ૫ વ્યંતરી જીવોને ચારગતિરૂપ ખાડામાં નાખી દે છે. મેટા મોટા રૂષિ અને મહા તપસ્વીઓને પણ અહેવુંત્તિએ સંસારમાં પાડી દીધા. અહંવૃતિવશમાં પડેલા પિતાનું સ્વરૂપ બીલકુલ સમજી શકતા નથી. અનેક યુદ્ધમાં જય કરી શકાય ભુખ વેઠી શકાય છે, તૃષા વેઠી શકાય, શત્રુઓ ઉપર જય કરી શકાય છે, આકાશમાં પણ ચાલી શકાય છે, પણ અહંવૃત્તિને નાશ કરી શકાતો નથી. કોઈ વીરલા પુરૂષે અહંવૃત્તિને નાશ કરી શકે છે. અહંવૃત્તિ અનેક પ્રકારનાં રૂપ ધારણ કરી હૃદયમાં પ્રગટે છે તે યત્ કિંચિત્ બતાવે છે.
For Private And Personal Use Only