________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૬). તારી ચતુરાઈ બીજાઓને દેખાડે છે, પણ યાદ રાખ કે પરભવમાં તારી ચતુરાઈ કરો માત્ર રહેવાની નથી. અરે જીવ તું ! અવિદ્યાના તોરમાં અનેક કુતર્કો કરી, ધર્મ શાસ્ત્રને જૂઠાં પાડે છે. પણ તેનું ફળ નરકાદિક તેને મળ્યા વિના રહેનાર નથી. અરે જીવ ! તું અનેક પ્રકારનાં પાપ કર્મ કરીને તેમને અહીં છાના રાખ પણ પરભવમાં તેનાં ફળ ભેગાવતી વખતે જરા માત્ર પણ પાપ છાનું રહેનારા નથી. અરે લોભી જીવ ! તું લેભથી અનેક પ્રકારનાં અસત્ય વચન બોલ, પણ તેથી પરભવમાં જીભ પ્રાપ્ત કરવી પણ મુશ્કેલ થશે. મનમાં આવે તેમ ચાલ, ગમે તેમ કર, પણ પરભવમાં માલુમ પડશે. અરે જીવ ! માયાનાં વિષ વૃક્ષ તું વાવે છે, તે તેનાં નારા ફળ તું ભેગવીશ. અરે જીવ! તું જ્ઞાની મુનિરાજોની ફાવે તેમ નિંદા કર, પણ તેથી પરભવમાં મૂઢ બન્યા વિના રહેનાર નથી. અરે જીવ ! તું પિતાને ઓળખ; અવિદ્યામાં અનંત કાળ ગયે, પણ તેથી તેને પરમ શાંતિ મળી નહીં. અરે જીવ! તું પોતે પોતાને ઓળખતે નથી, એ તારી કેટલી મોટી ભૂલ છે; અહંવૃત્તિના ગે તું ભૂતની પેઠે ચેષ્ટા કરે છે. અહ. વૃત્તિના ગે તું પર સ્વભાવમાં પરિણમી જાય છે. અહંવૃત્તિ બાદ્યનું જીવન છે. અહંવૃત્તિ એ વિભાવદશા છે.
હવે પુનઃ અહંવૃત્તિનું સ્વરૂપ કહે છે.
For Private And Personal Use Only