________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૫ ) સમજે છે. પણ યાદ કર કે દુનીયાદારીની ક્ષણક બાજી કેઈને છાજી નથી, અને છાજશે પણ નહીં. હે આત્મા ! તું દુકાનમાં બેસી, અનેક જીવને જૂઠું સમજાવી, જૂઠું આપી, હર્ષ ધારણ કરે. પણ તેથી કર્મ રાજા તારું આવું રવરૂપ દેખી, હર્ષ ધારણ કરે છે કે, એ જીવ મારા તાબામાં રહેવા છે. અરે જીવ! તું ધનપતિ, વા સત્તાધારી થઈ, અનેક જીવોની હિંસા કરી, શું ખુશી થાય છે ? તારી મોજ મઝા અને આનંદ પરભવમાં જોતાં જોતાં ઉડી જશે, અને ત્યાં મહા દુઃખી થઈશ. હે જીવ! તું ધર્મી પુરૂષોને ઢોંગી ગણે છે, પણ તારી દુર્મતિનું ફળ પરભવમાં મહા દુઃખ વેઠી ચાખીશ. અરે જીવ ! તું બીજા જીની ઠઠ્ઠા મશ્કરી કરે છે, પણ સમજતો નથી કે તારી મશ્કરી કર્મ રાજા તેજ વખતે કરે છે, અરે જીવ ! તું મસ્તાને થઈને હાલે છે, પણ યાદ રાખ કે તારા જેવા નવાણું લાખ દુનીયામાં જન્મી જમીને ચાલ્યા ગયા, તે તારો શો ભાર છે? અરે જીવ ! તું અજ્ઞાનના યેગે મનમાં અનેક પાપ કાર્ય કરવાના ઘાટ ઘડ્યા કરે છે, પણ યાદ કર કે ઘડી પત્ શું થશે. ? તેની તને સમજણ નથી. અરે જીવ ! તું મિત્રોની સોબતમાં અનેક પ્રકારની કુચેષ્ટાઓ કરે છે, તેનું ફળ તને મળ્યા વિના રહેનાર નથી. અરે જીવ ! તું મેટાઈની આશાએ ફકત
For Private And Personal Use Only