________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૮ ) હવાથી શાશ્વત મુક્તિ પામી શકતે નથી. અનંતકાળ આ જીવે નિગેદમાં ગાળે, ત્યાં પણ અજ્ઞાન હતું, અવ્યવહાર રાશિ નિગોદમાંથી નીકળી. વ્યવહારરાશિમાં આવ્યું. પાંચ સ્થાવરમાં ઘણાકાળ સુધી પરિભ્રમણ કર્યું. ત્યાંથી બે દિયમાં આવ્યું, ત્યાંથી તેરે દ્રિય અને ત્યાંથી ચતુરિન્દ્રિયમાં આવે; ત્યાંથી પંચેંદ્રિયમાં આવ્યું; પંચંદ્રિયના પણ દેવતા, મનુષ્ય, તિર્યંચ અને નારકી એ ચારભેદ છે. એ ચારના પણ પ્રત્યેકના ઘણા ભેદ છે, એમ ઈત્યાદિ અવતારે ગ્રહણ કર્યા. પણ અજ્ઞાનના વશથી આત્મા પોતાનું સ્વરૂપ સમજી શક્યો નહીં શ્રીવીતરાગ વચનની શ્રદ્ધા કરી નહીં. કુદેવ કુગુરૂ, કુધર્મને ધર્મ માની, તેમાં વિશ્વાસ રાખે. ઈત્યાદિ સર્વ અજ્ઞાનનાં જ પરિણામ જાણવાં અજ્ઞાનના પણ ત્રણ ભેદ છે. મતિઅજ્ઞાન, બીજું શ્રુતજ્ઞાન, અને ત્રીજું વિર્ભાગજ્ઞાન તેમાં પ્રથમના બેભેદે હાલમાં આ પંચમઆરામાં વિશેષતઃ જેવામાં આવે છે. અજ્ઞાનથી જીવને અજીવ માનવામાં આવે છે, તેમજ અજ્ઞાનથી પુણ્યને પાપ માનવામાં આવે છે, અને પાપનાં કાર્યને પુણ્ય માનવામાં આવે છે. અજ્ઞાનથી આશ્રવને સંવર માનવામાં આવે છે, અને સંવરને આશ્રવ માનવામાં આવે છે, તેમજ અજ્ઞાનથી બંધને મુક્તિ માનવામાં આવે છે, અને મુક્તિને બંધમાનવામાં આવે છે. અજ્ઞાનથી પુદ્ગલ દ્રવ્યને જીવરૂપે માનવામાં આવે છે અને
For Private And Personal Use Only