________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ ) રેતી પોલતાં, તેલ નીકળતું નથી, તેમ આશાના સંગથી કદી સુખ થતું નથી. જે પ્રાપ્ત થવાનું છે, તે થવાનું છે. તે સંબંધી નાહક વિક૬૫ સંકલ્પરૂપ ચિંતારૂપ દાવાનલમાં પડવાથી દુઃખ જ પ્રાપ્ત થાય છે. આકાશમાં જેમ આકાશીય પુષ્પ ઉત્પન્ન થાય નહી, તેમ પરવસ્તુની આશાથી કદી પણ સત્યસુખ થાય નહીં. કેટલાક મનુષ્ય રાજ્યની આશામાં પરભવમાં ચાલ્યા ગયા, કેટલાક ધનની આશામાં જ મૃત્યુ પામ્યા. કેટલાક જી આશાથી જરા માત્ર પણ ઉઘતા નથી. આશારૂપ અગ્નિના સંયેગથી જીવ સદાકાળ તપ્ત રહે છે. આશા સંબંધી કબીર કહે છે કે –
माया मरी ओर मन मरे, मर मर गए शरीर ।। મારા 7 ના મરી, સ્ટિવ ન રાસ લવીર || 1 ||
કબીરભકત પણ આશાનું આવું માહાતમ્ય બતાવે છે, આશા હદયમાં શક્તિની પેઠે વસ્યા કરે છે. આશામાં અનેક દુ:ખ સમાયાં છે. તે ઉપર એક દ્રષ્ટાંત કહે છે. ૮ એક નગરમાં પિંગલા નામની એક વેશ્યા રહેતી હતી. તે રૂપ અને લાવણ્યથી બહુ શોભતી હતી. એક દિવસ તે સવારના પહોરથી ધનીક પુરૂષોની આશાએ ગોખમાં સુંદર શણગાર સજીને બેઠી, પણ કોઈ તેની પાસે આવે નહી. સાયંકાળ થવા આવી, પણ કોઈ ગ્રહસ્થ તેને મળે નહી, પિંગલા વેશ્યાએ વિચાર કર્યો કે કઈ રાત્રીના વખતમાં
For Private And Personal Use Only