________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૩ )
બલસામર્થ્ય જોઈ, આર્ય પામે છે કે અહે! અહંવૃત્તિઓ મેહરૂપમદિરાપાન કરાવી, સર્વજીને બેભાન કરી દીધા છે. તેથી પિતાનું સત્યસ્વરૂપ સમજવા જરા માત્ર પણ પ્રયત્ન કરતા નથી. મારે અમુક પદાર્થ એમ અહંવૃત્તિની જાગૃતિ થતાં, આત્મા તેમાં રાગધારણ કરી કર્મવર્ગણોઓ ગ્રહણ કરે છે. અનાદિકાળથી જો સંસારમાં પરિભ્રમણ કરે છે, અને નિવૃત્તિપદ પ્રાપ્ત કરતા નથી. તેનું કારણ પણ અહંવૃત્તિ છે. ત્યારે શું આપણે આ મારે પુત્ર, આ મારે શિષ્ય, આ મારૂં ઘર, એ વચનવ્યવહાર મૂકી દેવું જોઈએ ? ઉત્તરમાં કહેવાનું કે તમે એ વ્યવહાર કરે, પણ તે વસ્તુ હું છું, અગર તે મારી છે, એવું અંતરમાં માની લે નહીં. જગતના વ્યવહારકાર્ય માટે, આ મારે પુત્ર, આ મારૂં ધન, એમ કહેવું, તેટલામાત્રથી આપણે બંધાતા નથી. પણ તે વસ્તુમાં મમત્વપરિણામ ધારણ કરવાથી બંને ધાઈએ છીએ. માટે મમત્વપરિણામને ત્યાગ કરે, તેજ અત્ર સારાંશ છે. પણ તેવા શબદ ત્યાગવા, અગર બેલવા નહીં એમ કહેવાને ઉદ્દેશ નથી. જ્ઞાની આ મારા શિષ્ય, આ મારા શ્રાવકે, આ મારા ગુરૂ એવા શબ્દને વ્યવહાર કરે છે, પણ અહંવૃત્તિના ત્યાગથી બંધાતા નથી, અને અજ્ઞાની બંધાય છે. ત્યાં મનમાં ઉત્પન્ન થતી અહંવૃત્તિનેજ દેષ છે, કંઈ શબ્દનો દોષ નથી એમ વિવેકદ્રષ્ટિથી સમજવું
For Private And Personal Use Only