________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ ). કૃતકૃત્ય સમજે છે, તે જીવ અહંવૃત્તિને ધારણ કરતે, સુખપ્રાપ્તિ કરી શકતું નથી. શાસ્ત્રમાં કિયાનું અજીર્ણ નિદા લખી છે. વળી ક્રિયાઓ કરીને, કિયા નહીં કરનારાઓની નિંદા કરવાથી, મન નિંદામાં લપટાય છે, અને તેથી નિંદાની વૃત્તિ વૃદ્ધિ પામવાથી પરનિંદા રહીત થવાતું નથી. અશુદ્ધપરિણતિથી, નિંદાદિક દોષમાં પ્રવૃત્તિ વૃદ્ધિ પામે છે. એકવાર જો મનને નિંદા કરવામાં વેગ આપે, તે બીજીવાર સહેજે બીજાની નિંદા થાય છે, એમ પ્રતિદિન નિંદાની ટેવ વધવાથી, પછીથી નિંદામાંથી મન પાછું વાળતાં બહુ પ્રયાસ પડે છે. પ્રબળ પ્રયત્ન કર્યા વિના, નિંદાની પ્રવૃત્તિ ટળતી નથી. માટે નિંદાવૃક્ષને ઉગતાંજ, છેદી નાખવું. અત્ર કહેવાનું તાત્પર્યર્થ એ છે કે કિયા કરતાં, પણ અન્ય નિંદા પ્રવૃત્તિ કરવી નહીં. અને તેવી નિંદાની પ્રવૃત્તિ થાય છે, તેનું કારણ અશુદ્ધ પરિણતિ છે. અને શુદ્વપરિણતિ રહેવાનું કારણ બહિરાત્મભાવ છે. અને બહિરાત્મભાવનું કારણ અજ્ઞાન છે. અને અજ્ઞાનથી ઉત્તરોત્તર તેવા દેની ઉત્પત્તિદ્વારા અશુદ્ધ પરિણતિની પુષ્ટિ થાય છે. માટે ભવ્ય જીવે જ્ઞાન સંપાદન કરી ગર્વરીત કિયા કરવી. પણ ધર્મકિયાથી ભ્રષ્ટ થવું નહીં. સારાંશ કે કિયાઓ કરી, નિંદાદિક દેષ પરિહરવા. અને જે ધર્મકિયામાં પ્રવર્તીને પણ નિંદાદિક કરે, તે અશુદ્ધ પરિણતિની
For Private And Personal Use Only