________________
પર
से कि तं आगमओ दव्वा वस्सयं ? जस्सणं आवस्स एति पदं सिक्रिवतं ठितं जितं.... आदिसेणं तत्थ वायणाए पुच्छणाए, परिअट्टणाए धम्मकहाए, नो अणुपेहाए जम्हा? મજુવો વ્યક્તિ ૬ (સૂત્ર.૧૩).
અર્થાતુ. જે કોઈ ભાગ્યશાળીએ આવશ્યક પદને કહેવાવાળુ શાસ્ત્ર શિખ્યું હોય યાવતું વાચના, પ્રચ્છના, પરિવર્તન અને ધર્મકથાવડે તેમાં વર્તમાન હોય તો પણ કરાતી આવશ્યકક્રિયા પ્રત્યે કે બોલાતાં આવશ્યક સૂત્રોના અર્થો પ્રત્યે ઉપયોગ રહિત હોય તે આગમથી દ્રવ્યાવશ્યક છે. શંકા-આગમ આશિત દ્રવ્યાવશ્યક... કહો છો, તો તે વાત ઠીક નથી, કારણ કે આગમ એ જ્ઞાન છે. જ્ઞાન એ ભાવ છે. તો પછી એને વ્યાવશ્યક શી રીતે કહેવાય ? જવાબમાં કહેવાયું કે, આગમનું કારણ આત્મા છે, તે શરીર અધિષ્ઠિત છે અને ત્રીજું કા૨ણ ઉચ્ચારાતા શબ્ધ છે. આ ત્રણે વિધમાન છતાં સૂત્રો ને બોલતો સાધક ઉપયોગ વિના જ સૂત્રોનું ઉચ્ચારણ કરી રહ્યો છે. આ કારણે જ તે સાક્ષાત્ આગમ નથી. યદાપિ આ ત્રણે આગમનું કારણ જરૂર છે. તેથી કારણ માં કાર્ય નો ઉપચાર કરવાથી આગમ કહેવાય છે અને ભાવ એટલે ઉપયોગ પૂર્વક કાર્ય માટે કદાચ આ દ્રવ્યક્રિયા પણા કોઈક સમયે નિમિત્ત કારણ બની શકે છે.
જેમ – જળ, પુષ્પ, ચન્દન, બરાસ, દીપ-ધૂપ અને