Book Title: Anuyogdwar Sutra
Author(s): Purnanandvijay
Publisher: Jagjivandas Kasturchand Shah

View full book text
Previous | Next

Page 520
________________ ૪૫ નય ત્રણે સામયિકોને માન્ય કરે છે. જ્યારે ઋસૂત્રનય અને શબ્દનયો કેવળ ચારિત્ર સામયિકને જ માને છે અને કહે છે કે મોહનીય કર્મની સમ્પૂર્ણ નિર્જરા, ચારિત્ર સામયિકને આધીન છે. સ૨ળાર્થ આ પ્રમાણે છે કે જીવાત્મા જ્યારે સમ્યકત્વ સામયિક (સમ્યગ્દર્શન) શ્રુતસામયિક (સમ્યગજ્ઞાન) અને ચારિત્ર સામયિક (સમ્યક્ ચર્ચારત્ર) મતલબ કે દર્શન જ્ઞાન તથા ચર્ચારિત્રનું એકી ક૨ણ સધાય ત્યારે તે ભવ્યાત્મા મોક્ષ માર્ગ ૫૨ સમારૂઢ થઈ કેવળજ્ઞાન મેળવવા માટે હકદાર બને છે. સામાયિક જીવ સ્વરૂપ છે, અર્થાત્ જીવમાંજ સામયિકનો વાસ છે. અજીવમાં નથી. સાધકની દ્ધિની ત૨તમતાને લઇ સમ્યક્ત્વ સામયિકમાં ઔપમિક, ક્ષર્ણાયક અને ક્ષાયોપર્શામક ભાવોની વિદ્યમાનતા કલ્પી શકાય છે. શ્રુતસામાયિક સૂત્ર અર્થ અને સૂત્રાર્થના ભેદે ત્રણ પ્રકારે છે. ચારિત્ર સામયિક અગા૨ અને અનગા૨ ભેટે બે પ્રકારે છે. આગા૨ એટલે ગૃહસ્થાશ્રમીને દેર્શાવર્શત અને અનગાર એટલે મુનિને સર્વ વિÁત સાયિક છે. જીવના ભાવ, સ્વભાવ, પ્રવૃતિ, રહેણી ક૨ણી આદિમાં અલ્પાંશે કે સર્વાંશે સંયમના તથા તપના સંસ્કારો દેખાય તે સામાયિક છે. જીવમાત્ર પ્રત્યે

Loading...

Page Navigation
1 ... 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542