________________
૪૧૧
રહેલા એટલે સત્તામાં રહેલા અર્વાધદર્શના વ૨ણીય કર્મોના કા૨ણે દ્રવ્યગત અનન્તપર્યાયોને જાણવાની ક્ષમતા આ દર્શનમાં હોતી નથી. કહેવાયું છે કે, “આ દર્શન વસ્તુગત સંખ્યેય, અસંખ્યેય પર્યાપોને વિષય કરે છે. જયારે જઘન્યથી રૂ૫, ૨૪, ગન્ધ અને ૨૫ર્શ રૂપે ચા૨ પર્યાયોને જ જાણે છે.
કેવળદર્શનાવ૨ણીય કર્મનો ક્ષય થવાથી ઉત્પન્ન થતી કેવળદર્શનની ર્લાબ્ધવાળો સાધક, સર્વે દ્રવ્યોને તથા તે દ્રવ્યના દૃશ્ય અદશ્ય પર્યાયોને સાક્ષાત્કાર કરે છે.
મન: પર્યવજ્ઞાન :
સંજ્ઞી પંન્દ્રિય જીવો કોઈપણ વસ્તુનું ચિંતન મનથી કરે છે. ચિંતનના સમયે ચિંતનીય વસ્તુના ભેદ પ્રમાણે ચિંતનકાર્યમાં પ્રવર્તેલું મભિન્ન ભિન્ન આકૃતિઓને ધા૨ણ કરે છે આ આકૃતિઓ એ જ મનના પર્યાય છે અને એ આકૃતિઓ સાક્ષાત મન: પર્યવજ્ઞાનથી જણાય છે અર્થાત્ આ જ્ઞાનથી ચિંતનશીલ મનની આકૃતિઓ જણાય છે ચિંતનીય વસ્તુ નહીં આમાં આકૃતિ એ વિશેષ હોવાથી આ જ્ઞાનમાં સામાન્ય બોધ જેવું હોતું નથી.
મન: પર્યવજ્ઞાન સદૈવ વિશેષ વસ્તુને જ ગ્રહણ કરે છે. સામાન્ય ને નહીં માટે આ જ્ઞાનને દર્શન કહ્યું નથી. જેમ કે, અર્વાધજ્ઞાન કેવળરૂપી દ્રવ્યને જ જાણવાની